કેન્દ્ર સરકારે રવિવારે એક મોટી જાહેરાત કરી છે. તેમાં સરકારે જણાવ્યું છે કે હજુ સુધી કોઈ પણ વ્યક્તિના પેન્શનને ઘટાડવાનો કોઈ પ્રસ્તાવ આવ્યો નથી. સરકાર હાલમાં આ બાબતે કોઈ વિચાર કરી રહી નથી. સરકાર તરફથી આવેલું સ્પષ્ટીકરણ અનેક અફવાઓ પછી આવ્યું છે.
કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત
સરકારે હાલમાં પેન્શન ઘટાડવાને લઈને કોઈ નિર્ણય લીધો નથી
દેશભરમાં 65.26 લાખ પેન્શન લાભાર્થી છે
સરકારે પોતાની તરફથી કરેલા સ્પષ્ટીકરણમાં કહ્યું છે કે પેન્શન અને પેન્શનધારકો કલ્યાણ વિભાગ (DOPPW)માં આવે છે તેઓ હાલના કોરોનાના સંકટમાં અફવાઓ પર ધ્યાન ન આપે કે કેન્દ્ર સરકાર પેન્શન બંધ કરવાનું કે ઘટાડવાનું વિચારી રહી છે. ઉલ્લેખનીય છે કે પેન્શનમાં ફેરફાર અનેક પેન્શનારકો માટે ચિંતાની વાત છે.
Govt has neither held any discussion nor considered cutting the pension of senior citizens. Also, under PM Modi, govt can never take such an insensitive step of transferring the pension money of people above 80 years of age to #COVID fund: Union Minister Dr Jitendra Singh https://t.co/c7QWIvQ5U0pic.twitter.com/EfOYEypPrT
અગાઉ પણ સરકારે આ બાબતે સ્પષ્ટતા કરી છે કે પેન્શન ઘટાડવાનો કોઈ પ્રસ્તાવ હાલ સુધી વિચારાયો નથી. સરકાર આ વિશે કોઈ વિચાર કરી રહી નથી. સરકાર તો પેન્શનધારકોના કલ્યાણ અને કુશળતા માટે પ્રતિબદ્ધ છે. ઉલ્લેખનીય છે કે દેશમાં હાલમાં 65.29 લાખ પેન્શન લાભાર્થીઓ છે.