ભારતમાં 16 જાન્યુઆરીના રોજથી દેશવ્યાપી રસીકરણ અભિયાનનો પ્રથમ તબક્કો શરુ થવા જઈ રહ્યો છે, જેના માટે સીરમની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવાકસિનને મંજૂરી આપવામાં આવી છે, અને આ ચારણની શરૂઆત માટે સરકાર દ્વારા બંને કંપનીઓને પ્રારંભિક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણ દ્વારા મીડિયાને અપાયેલી માહિતી અનુસાર પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટને પ્રારંભિક ઓર્ડરમાં 1.10 કરોડ ડોઝ કોવિશિલ્ડનો ઓર્ડર અપાયો છે, જેની પ્રતિ ડોઝ કિંમત 200 રૂપિયા છે અને તેના પછી ભારત બાયોટેકની કોવાક્સિનનો પણ હવે ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા અપાયેલી માહિતી અનુસાર હાલમાં 55 લાખ ડોઝ ખરીદવાનો ઓર્ડર અપાયો છે જેની પ્રતિ ડોઝ કિંમત 295 રૂપિયા રહેવાની છે.
યુનિયન હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણ દ્વારા અપાયેલી માહિતી અનુસાર ભારત બાયોટેક 16.50 લાખ જેટલા ડોઝ સરકારને ફ્રી આપવાની છે જે એક સ્પેશિયલ જેશ્ચરના ભાગરૂપે છે અને તેના પછીના બાકીના 38.5 લાખ ડોઝ માટેની કિંમત 295 રૂપિયા રહેવાની છે.
પીએમ મોદીએ કરી હતી મુખ્યપ્રધાનો સાથે બેઠક
મહત્વનું છે કે થોડા સમય પહેલા વડાપ્રધાન મોદીએ રસીકરણ અભિયાન બાબતે વિવિધ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે મિટિંગ કરી હતી અને સ્થિતિની સમીક્ષા કરી હતી, આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું હતું કે અમુક પરિબળો દ્વારા રસીકરણ અભિયાનને લઈને લોકોમાં ભ્રમની સ્થિતિ ઊભિયો કરવામાં આવી રહી છે જેને લઈને રાજ્યોએ સતર્ક રહેવાની જરૂર છે અને રસીકરણ મામલે અગાઉથી જે વ્યવસ્થાઓ બનવાયેલી છે તે જરૂરથી આ અભિયાનમાં કામ લાગશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
Both the vaccines (Covishield & Covaxin) have been authorized for emergency use & there should be no doubt about their safety. They have been tested on thousands of people & side-effects are negligible. There is no risk of any significance: Dr VK Paul, Member (Health), NITI Aayog https://t.co/wNwjWkO6jU
દરમિયાનમાં આજે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા પૂણે ખાતેથી કોવિશિલ્ડના પ્રથમ જથ્થાનું વિતરણ શરૂ કરી દેવાયું હતું, આજે ગુજરાતના અમદાવાદ ખાતે પણ કોવિશિલ્ડનો પ્રથમ જથ્થો મોકલી દેવાયો છે અને આ સિવાય અન્ય શહેરોમાં પણ ખૂબ જ જલ્દીથી તેને વિતરીત કરી દેવામાં આવશે.
In many countries, more than one vaccine is being used. There is no such option available to any of the beneficiaries in these countries: Union Health Secretary Rajesh Bhushan, on being asked if the states and the beneficiaries will have a choice between Covaxin & Covishield pic.twitter.com/bF2PG2PGAB
આ સિવાય આરોગ્ય મંત્રાલયે મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે આવનારા મહિનાઓમાં હજુપણ વધુ વેક્સિન આવી શકે છે, મહત્વનું છે કે કેસ ઘટી રહ્યા છે પરંતુ હજુ પણ સાવધાની રાખવાની જરૂર છે.