નવી દિલ્હીઃ લોકોમાં દેશભક્તિની ભાવના જગાડવા માટે કેન્દ્ર સરકારે ભારતીય રેલવે તરફથી એક મોટી જાહેરાત કરી છે. સરકારે રેલવેને આદેશ આપ્યા છે કે દેશના તમામ એ-1 કેટેગરીવાળા રેલવે સ્ટેશનો પર 100 ફૂટ ઉંચો તિરંગો લગાવવામાં આવે. જેના માટે 75 રેલવે સ્ટેશનોની પસંદગી પણ કરી લેવામાં આવી છે.
તમને જણાવી દઇએ કે સરકારે આ પહેલા થિયેટરોમાં રાષ્ટ્રગીતને ફરજીયાત કરી દેવામાં આવ્યું હતું જ્યારબાદ તેના પર ઘમાસાન થયું હતું. અંતે સુપ્રીમ કોર્ટે તેની આવશ્યક્તા પૂર્ણ કરી દીધી હતી.
એ-1 કેટેગરી વાળા 75 સ્ટેશનો પર લાગશે 100 ફૂટ લાંબો તિરંગો
મળતી માહિતી અનુસાર રેલવે બોર્ડે ગત માસમાં જ પરિપત્ર રજૂ કરી દીધો છે કે દેશના 75 રેલવે સ્ટેશનો પર 100 ફૂટ ઉંચો તિરંગો લહેરાવવામાં આવશે. જણાવાય રહ્યું છે કે જે 75 રેલવે સ્ટેશનોની આના માટે પસંદગી કરવામાં આવી છે જેની વાર્ષી આવક 50 કરોડ આસપાસ છે અને તમામ એ-1 કેટેગરીમાં રાખવામાં આવે છે. આદેશ આવ્યા બાદ તિરંગા લગાવવા માટે યોગ્ય જગ્યાની પસંદગી કરવામાં આવી રહી છે. આ કામને પૂરૂ કરવાની અંતિમ તારીખ પણ સરકારે નક્કી કરી છે. સરકારે સંબંધિત વિભાગોના આ કામ કરવાની 31 ડિસેમ્બર 2018 સુધીની ડેડલાઇન આપી છે.
એક રાષ્ટ્રીય ધ્વજ પર આવશે 9 લાખ રૂપિયાનો ખર્ચ
રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર 100 ફૂટ ઉંચા રાષ્ટ્રીય ધ્વજને કલરફૂલ લાઇટથી ફોકસ કરવામાં આવશે. આ સિવાય રેલવે પ્રોટેક્શન ફોર્સને આ ધ્વજની સુરક્ષામાં તૈનાત કરવામાં આવશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક ધ્વજ પર લાઇટિંગ અને તેની સુરક્ષા પર અંદાજિત 9 લાખ રૂપિયાનો ખર્ચ સરકાર કરશે. રેલવેના સીનિયર ઓફિસરે જણાવ્યું કે સરકારનો આ નિર્ણય રાષ્ટ્રવાદના પ્રતીક યોજનાની દિશામાં છે.