આ વ્યવસ્થામાં વ્યાપારી મોકલનારનું નામ, તેની માત્રા, તેનું મુલ્યાંકન અને આપવામાં આવેલી જાણકારી પોર્ટલ પર નાંખશે. આ બાદ પોર્ટલમાંથી ઈનવોઈસ જનરેટ થશે. આ ઈનવોઈસના આધાર પર આગળના વ્યાપારી ઈ વે બિલ જારી કરશે. પોર્ટલ પર ઈનવોઈસની જાણકારી દાખલ કરતાની સાથે સરકારના અધિકારી તેને વાંચશે.
500 કરોડ રુપિયાથી વધારે ટર્ન ઓવરવાળી કંપનીઓ માટે ફરજિયાત
ઈ-ઈનવોઈસ બિલિંગ સિસ્ટમ હેઠળ ઈનવોઈસ પદ્ધતિ અમલમાં
તમામ જગ્યાઓ પર એક જ પ્રકારના બિલ બનાવવામાં આવશે
શરુઆતના ચરણમાં 500 કરોડ રુપિયાથી વધારે ટર્ન ઓવરવાળી કંપનીઓ અને વ્યાપારીઓ માટે આને ફરજિયાત કરવામાં આવ્યું છે. હાલના સમયમાં આ વ્યવસ્થાથી બેંક, વીમા સહિત નાણાકિય સેવાઓ સાથે જોડાયેલી કંપનીઓ અને પાર્સલ સેવા આપી રહેલી ટ્રાન્સપોર્ટ કંપનીઓને બહાર રાખવામાં આવી છે. જાણકારોનું કહેવું છે કે સરકાર જીએસટી આવ્યા બાદ થઈ રહેલી ટેક્સ ચોરીથી હેરાન છે. જે વધારે પાર્દશિક સિસ્ટમ પર ભાર મુકી રહી છે. આનાથી ફ્રોડ ઈનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી) લેવાની ઘટનાને કોરી શકાશે. વિષેજ્ઞોએ એ સ્પષ્ટ કરી દીધું છે કે જો કંપની પોતાના યુનિટથી બહાર શહેરની વચ્ચે માલ મોકલવા ઈચ્છશે તો તેને ઈ-ઈનવોઈસ જ જનરેટ કરવો ફરજિયાત રહેશે.
ઈ-ઈનવોઈસ બિલિંગ સિસ્ટમ હેઠળ ઈનવોઈસ પદ્ધતિમાં તમામ જગ્યાઓ પર એક જ પ્રકારના બિલ બનાવવામાં આવશે. આ બિલ તમામ જગ્યાએ એક સમાન રીતે બનશે અને રિયલ ટાઈમ દેખાશે એટલે કે કોઈ કોઈ સામાનને આઈટમ લખે, તો બીજો પ્રોડક્ટ લખી રહ્યું છે અને કોઈ છુટ માટે ડિસ્કાઉન્ટ લખી રહ્યું છે, તો કોઈ એગ્જમ્પશન લખી રહ્યું છે. એવું નહીં ચાલે. ઈલેક્ટ્રોનિક ઈનવોઈસ બિલિંગ સિસ્ટમમાં દર એક હેડને સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં લખવામાં આવશે.
કંપનીઓને પોતાની મેન્યૂફેક્ચરિંગ અથવા ઓફિસની બહાર મોકલવામાં આવનારી સેવાઓ માટે કોમ્યૂટરાઈઝ ઈનવોઈસ જ લેવાના રહેશે. એ માટે સોફ્ટવેર ઈન્ટોલ કરવાનું રહેશે. જેમાં કેન્દ્ર સરકાર કામ કરે છે.