સરકરે ગુરુવારે બિઝનેસ પ્રોસેજ આઉટસોર્સિંગ (BPO),આઈટી આધારિત સેવાઓ (ITeS)વાળી કંપનીઓ માટે વર્ક ફ્રોમ હોમને ધ્યાનમાં રાખીને ગાઈડલાઈનને સરળ બનાવવાનું એલાન કર્યુ છે. જેનાથી ઈન્ડસ્ટ્રીના અનુપાલનનું ભારણ ઘટશે અને કોરોના કાળમં ઘરેથી કામ કરનારાઓને મોટી રાહત મળશે.
ઈન્ડસ્ટ્રીઝ ઘણા લાંબા સમયથી વર્ક ફ્રોમ હોમમાં રાહતની માંગ કરી રહી છે
ઘરેથી કામ કરવાની બાબતને પ્રોત્સાહન મળશે
ઉદ્યોગોમાં રાહત પેકેજ મળશે
સરકારના નવા નિયમ મુજબ અન્ય કંપનીઓને ઘરેથી કામ અને ગમે ત્યાંથી કામ કરવાને લઈને સામાન્ય માહોલ મળશે. ત્યારે સમય સમય પર રિપોર્ટિંગ અને કાર્યકાલની અન્ય પ્રતિબદ્ધતાઓને ખતમ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઈન્ડસ્ટ્રીઝ ઘણા લાંબા સમયથી વર્ક ફ્રોમ હોમમાં રાહતની માંગ કરી રહી છે અને આને સ્થાયી રીતે જારી કરવાના પક્ષમાં છે.
ઓએસપી કંપનીઓ જે દૂરસંચાર સંસાધનોના માધ્યમથી એપ્લિકેશન અને આઈટી વિસ્તાર સાથે જોડાયેલી સેવાઓમાં કોઈ પણ પ્રકારની આઉટ સોર્સિંગ સેવાઓ પ્રદાન કરે છે.આ નિયમોથી તેમને ઘરેથી કામ કરવાની બાબતને પ્રોત્સાહન મળશે.
ઉદ્યોગોમાં રાહત પેકેજ મળશે જેમાં ઘરે એજન્ટોને ઓએસએપી કેન્દ્રના રિમોટ એજન્ટ કહેવામાં આવે છે અને તેમને કાર્યલયમાં અન્ય અધિકારીઓના સંપર્ક કરવાની પરવાનગી હશે. સત્તાવાર સૂત્રોના જણાવ્યાનુંસાર વર્ક ફ્રોમ હોમની ધારણાને ઉદાર કરવાનો હેતુ ઈન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા અને દેશને સૌથી વધારે પ્રતિસ્પર્ધી આઈટી સેક્ટરના રુપમાં નવી ઓળખ આપવાનું છે. જેનાથી કંપનીઓને નવા નિયમથી વર્ક ફ્રોમ હોમ અને વર્ક ફ્રોમ એનિવેયર સંબંધિત નવી નીતિઓને અપનાવવામાં મોટી રાહત મળશે.
ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે અનેક બીપીઓ અને આઈટી કંપનીઓ પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરાવી રહી છે. જ્યારે નવા નિયમો મુજબ ઓએસપી માટે પંજીકરણની જરુરરિયાતને ખતમ કરી નાંખી છે. ત્યારે બીપીઓ કંપનીઓને પણ આની સીમા માંથી બહાર કરી દીધા છે. આના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ એક ટ્વીટ કરી લખ્યું કે દેશનું આઈટી સેક્ટર અમારું ગૌરવ છે. સમગ્ર વિશ્વએ આ સેક્ટરની તાકાતને માની છે. સરકારે દેશમાં નવપ્રવર્તન અને વૃદ્ધિને લઈને સુગમ વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે હંમેશા પ્રતિબદ્ધ છે. આ નિર્ણય દેશના યુવાનોને આગળ વધારવા અને પ્રગતિ માટે પ્રોત્સાહન આપશે.