નેચરલ ગેસને જીએસટી (GST-Goods and Service Tax) ના વિસ્તારમાં લાવવાની યોજના ઘણા સમયથી ચાલી રહી હતી. આ બાબતે હવે જલ્દી નિર્ણય લેવામાં આવી શકે છે.
નેચરલ ગેસને લઈને ગ્રાહકોને મળ્યા સારા સમાચાર
દરેક રાજ્યોમાં અલગ રહેશે GST
ગ્રાહકોના ખિસ્સા પર થશે આવી અસરો
શું થશે ગ્રાહકો પર અસર
એવી આશા રાખવામા આવી રહી છે કે નેચરલ ગેસને જીએસટીના વિસ્તારમાં લાવવા માટે પીએનજી અને સીએનજી કેટલુક સસ્તુ થઈ શકે છે. અહીં આશા છે કે 5 પેટ્રોલિયમ ઉત્પાદ કાચું તેલ, ડીઝલ, પેટ્રોલ, એટીએફ અને નેચરલ ગેસ જીએસટીથી બહાર છે. હવે આ જીએસટી કાઉન્સિલે નક્કી કરવાનું છે કે આ 5 ઉત્પાદનો પર ક્યારથી જીએસટી લગાવવામાં આવે. કેમકે આ પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટીમાં લાવવાની ડિમાન્ડ ઘણા સમયથી આવી રહી છે.
જીએસટીના વિસ્તારમાં આવવાથી શું થશે અસર
આ પહેલાં પેટ્રોલિયમ મંત્રાલય પણ નેચરલ ગેસને જીએસટીના વિસ્તારમાં લાવવાનું કહી ચૂક્યું છે. જો હવે પ્રાકૃતિક ગેસને જીએસટીમાં લાવવામાં આવશે તો તેની પર દેશમાં કોઈ પણ સ્થાને સમાન રીતે ટેક્સ લાગશે. જીએસટીમાં આવ્યા બાદ તેની પર અલગ અલગ લાગનારા ઉત્પાદન શુલ્ક અને વેટ સમાપ્ત થશે. કહેવાયું છે કે તેનાથી આર્થિક ગતિવિધિઓ વધશે. જેનાથી રાજ્ય ઘરેલૂ ઉત્પાદન વધશે અને સામાજિક અને આર્થિક વિકાસને ગતિ મળશે. તેનાથી રોજગારના અવસરો પણ વિકાસ પામશે.