વિશ્વમાં કોરોનાનો કહેર સતત ફેલાઈ રહ્યો છે ત્યારે અનેક દેશમાં તેને મહામારી જાહેર કરવામાં આવ્યો છે. ભારતમાં પણ કોરોનાના કેસ અને મોત થઈ રહ્યા છે ત્યારે ભારત સરકારે વિદેશથી આવનારા લોકોના વિઝાને 15 એપ્રિલ સુધી સસ્પેન્ડ કરી દીધા હતા.
કોરોનાને લઈને ભારત સરકારે લીધા પગલાં
વિઝાના નિયમોમાં કરાયા આ મોટા ફેરફાર
આ તારીખ સુધી સસ્પેન્ડ કરાયા વિદેશીઓના વિઝા
હવે ભારત આવનારા પર્યટન વિઝામાં ફક્ત અધિકારીઓ, રાજનેતાઓ, સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને આંતરરાષ્ટ્રિય સંસ્થાઓના કર્મચારીઓને છૂટ આપવામાં આવશે. આ પહેલાં ચીન, જાપાન, ઈટલી, સાઉથ કોરિયામાં પણ આ રોક લગાવવામાં આવી હતી.
ભારત સરકાર લાવી આ નિયમ
ગાઈડલાઈનમાં કહેવાયું છે કે જરૂરી હોય તો જ તમે યાત્રા કરી શકો છો. પણ દેશમાં પાછા આવ્યા બાદ તમને 2 અઠવાડિયા સુધી દેખરેખ હેઠળ રાખવામાં આવશે. આ એટલા માટે કરવામાં આવશે કે જે લોકો 15 ફેબ્રુઆરી 2020થી ચીન, કોરિયા, સ્પેન, ફ્રાંસ અને જર્મનીથી યાત્રા કરીને આવી રહ્યા હોય.
સરકાર માંગશે આ સર્ટિફિકેટ
કોરિયા અને ઈટલીથી આવનારા લોકોને હેલ્થ સર્ટિફિકેટ (નેગેટિવ સર્ટિફિકેટ) બતાવવાનું જરૂરી છે. ચીન, કોરિયા, ઈરાન, ઈટલી, સ્પેન, ફ્રાંસ અને જર્મનીથી આવનારા ભારતીયોને ભારત આવવાથી એરપોર્ટ પર રોકીને રાખી શકાશે નહીં. હાલમાં ભારત સરકારે કોરોના વાયરસથી પ્રભાવિત દેશોની બિન જરૂરી યાત્રાથી બચવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને કોરોના, ઈરાન, ઈટલી, સ્પેન, ફ્રાંસ અને જર્મનીની યાત્રા કરનારાને અનિવાર્ય રીતે અલગ રાખીને તપાસ કરાશે.
વિઝાની તારીખ લંબાવવા માટે કરી શકશો આ ઉપાય
ભારતમાં રહેતા વિદેશી લોકોની વિઝાની તારીખ પૂરી થઈ રહી છે તો તેઓ તેને વધારી શકે છે. આ માટે તેઓએ ઓનલાઈ સાઈટનો સંપર્ક કરવાનો રહેશે. વિદેશી લોકો ભારતીય હવાઈ અડ્ડાની તપાસ, મેડિકલ સ્ક્રીનિંગ કરવું અનિવાર્ય રહેશે. કોરિયા અને ઈટલીથી આવનારા ઓસીઆઈ કાર્ડ ધારકોને કોવિડ 19નું નેગેટિવ સર્ટિફિકેટ આપવાનું રહેશે.