નોકરિયાતો માટે ખરાબ સમાચાર આવ્યા છે. સરકારે એવો નિર્ણય લીધો છે જેનાથી કંપનીઓને કર્મચારીઓની છટણી માટે ખુલ્લો દોર મળ્યો છે. જ્યારે નોકરિયાત વર્ગની ચિંતામાં વધારો થયો છે.
ઔદ્યોગિક સંબંધ સંહિતા 2020 વટહુકમ શનિવારે લોકસભામાં રજૂ કર્યો છે
નોકરિયાતોની ચિંતામાં વધારો થયો
કંપનીઓને કર્મચારીઓની છટણી માટે ખુલ્લો દોર મળ્યો
300થી વધારે કર્મચારીઓ વાળી કંપનીઓ સરકારની મંજૂરી લીધા વગર કર્મચારીઓની જ્યારે ઈચ્છે ત્યારે છટણી કરી શકે છે. શ્રમ મંત્રાલયે આ માટે નિયમમાં ફેરફાર વાળો ઔદ્યોગિક સંબંધ સંહિતા 2020 વટહુકમ શનિવારે લોકસભામાં રજૂ કર્યો છે.
શ્રમ મંત્રી સંતોષ ગંગવારે કોંગ્રેસ સહિત વિપક્ષી દળોના વિરોધની વચ્ચે ગત વર્ષ રજૂ બિલને પાછું લેતા વ્યાવસાયિક સુરક્ષા, સ્વાસ્થ્ય તથા કાર્ય પરિસ્થિતિ સંહિતા 2020 અને સામાજિક સુરક્ષા સંહિતા 2020 પણ લોકસભામાં રજુ કરવામાં આવ્યો છે. જેનાથી આવી કંપનીઓમાં કામ કરનારા નોકરિયાતોની ચિંતામાં વધારો થયો છે. કેમ કે કંપની દ્વારા મન ફાવે તેમ એમ્પ્લોયની છટણી કરાશે અને સરકાર તેમાં દખલ નહીં દે. જેથી આ વિષયમાં સંપૂર્ણ હક કંપનીઓને આપવામાં આવ્યો છે.