મોદી સરકારે લૉકડાઉનમાં પણ ખેડૂતોને પાકની કાપણી, વેચાણ અને માર્કેટિંગ, કોલ્ડ ચેન, પેકેજિંગ અને ફૂડ પ્રોસેસિંગના માટે કામ કરવાની છૂટ આપી છે.
સરકારે કરી આ જાહેરાત
માછીમારોને મળશે મોટી રાહત
કૃષિમંત્રી ખેડૂતો માટે કરશે સરકાર સાથે વાતચીત
કોરોના વાયરસ મહામારીના સંક્રમણને રોકવા માટે જાહેર કરાયેલા લૉકડાઉનમાં ખેડૂતોને રાહત મળે તે માટે કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. સરકારે ફિશિંગ (મત્સ્યઉદ્યોગ) સાથે જોડાયેલા કર્મચારીઓને માટે મોટી જાહેરાત કરી છે. સરકારની તરફથી અપાયેલા નોટિફિકેશનમાં માછલી પકડનારા ઉદ્યોગને લૉકડાઉનમાં કામ કરવાની છૂટ આપવામાં આવી છે.
લૉકડાઉન દરમિયાન પાકને કાપવા, વેચાણ અને માર્કેટિંગ, કોલ્ડ ચેઇન, પેકેજિંગ અને ફૂડ પ્રોસેસિંગની પણ સરકારે મંજૂરી આપી છે. જો કે, આ ક્રમમાં કામ દરમિયાન સામાજિક અંતર અને સ્વચ્છતાને પ્રાથમિકતા આપવાનું પણ ખાસ કહેવામાં આવ્યું છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે જો આમ નહીં કરવામાં આવે તો આવા લોકો સામે કાર્યવાહી પણ થઈ શકે છે.
15 એપ્રિલથી શરૂ થશે ઘઉંની ખરીદી
લૉકડાઉનના કારણે ખેડૂતોને તકલીફ ન થાય અને તેમના પાકનું વેચાણ થઈ શકે તે માટે રાજ્ય સરકારે 15 એપ્રિલથી ઘઉંની ખરીદી શરૂ કરી છે. કેન્દ્ર સરકારે દાળ અને ઓઈલ સીડની ખરીદી માટે રાજ્ય સરકારોને આદેશ આપ્યા છે. કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે સરકાર કોશિશમાં છે કે લૉકડાઉનના કારણે લોકોને ઓછી તકલીફનો સામનો કરવો પડે. ડુંગળીની કિંમતો વધે નહીં અને ડુંગળી જલ્દી જ માર્કેટમાં પહોંચી શકે.
કૃષિમંત્રીએ કરી આ જાહેરાત
નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, યૂપીમાં સરસિયાની 95-97 ટકા પાક કપાઈ ચૂક્યો છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, મહારાષ્ટ્ર, બુંદેલખંડ, આંધ્રપ્રદેશમાં લગભગ 95 ટકા ચણાનો પાક પણ કપાઈ ચૂક્યો છે. મધ્યપ્રદેશમાં 80 ટકા ઘઉં કપાઈ ચૂક્યા છે. વાવવામાં આવેલા ઘઉં હરિયાણા, પંજાબમાં કાપવાના બાકી છે. મજૂરોને તકલીફ ન થાય તે માટે રાજ્ય સરકારો સાથે મળીને તેનો વિચાર કરી રહી છે.