CM ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની યોજાશે 'પાઠશાળા' બિન અનુભવી મંત્રીઓને ટ્રેનિંગ આપી સજ્જ કરાશે તેમજ વિભાગીય કામોથી લઈને મીડિયા બ્રિફિંગની અંગે માહિતી અપાશે
નવા મંત્રીઓની યોજાશે 'પાઠશાળા'
મીડિયા બ્રિફિંગની અપાશે તાલીમ
નવા મંત્રીઓને અપાશે વહીવટી જ્ઞાન
નવ નિયુક્તમંત્રીઓના શિરે મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે સાથે તમામ મંત્રીઓને 100 ટકા પર્ફોમન્સ આપવાના નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. ત્યારે જે મંત્રીઓ સરકારી કામનો કોઈ કોઈ અનુભવ નથી તેવા મંત્રીઓની વિશેષ તાલીમ આપી તેમની વહીવટી જ્ઞાનની સજ્જ કરવામાં આવશે તેમજ મંત્રીઓની વિભાગીય કામો વિશે માહિતી આપવામાં આવશે તેની સાથે અનેક પ્રકારની તાલીમ પણ આપવામાં આવનાર છે.
નવા મંત્રીઓને વિવિધ મુદ્દાઓ અંગે માહિતગાર કરાશે
હવે ભૂપેન્દ્ર સરકાર સત્તા પર આવતા જ મુખ્યમંત્રીએ પોતાની મંત્રીમંડળની પાઠશાળા શરૂ કરી દીધી છે. જેમાં ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળ નવા મંત્રીઓને વિવિધ મુદ્દાઓ અંગે માહિતગાર કરાશે તેવો અહેવાલો સામે આવ્યા છે મહત્વનું છે કે સરકાર એક્શનમાં આવી છે નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ નવનિયુક્ત મંત્રીઓને સરકારી કામ સિવાય પ્રવાસનું આયોજન ન કરવા અને આગામી 15 દિવસ ગાંધીનગર ન છોડવા માટેના આદેશ આપી દીધા છે. એટલું જ નહીં આગામી બજેટ અંગે કામની સમીક્ષા વિભાગના અધિકારી સાથે ચર્ચા કરવાના પણ આદેશ આપી દીધા છે.
મંત્રીઓને ટ્રેનિંગ આપવા મુખ્યમંત્રીએ પાઠશાળા
રાજ્યમાં હવે મંત્રી મંડળ અસ્તિત્વમાં આવી ચુક્યું છે અને દરેક મંત્રીઓને પોતાના ચાર્જ સંભાળી લીધો છે પરતું મોટા ભાગના મંત્રીઓ બિન અનુભવી છે તો કેટલાક મંત્રીઓ એકદમ કોરી સલેટ જેવા છે જેમને સરકારના કોઈ પદ પર તેઓ રહ્યા નથી ત્યારે આવા મંત્રીઓને વહીવટી જ્ઞાન આપવા માટે વહીવટી અને વૈધાનિક ટ્રેનિંગ આપવાનો નિર્દેશ કરાયો છે. મહત્વનું છે કે નવા મંત્રીમંડળમાં 20 જેટલા મંત્રી પહેલી વાર મંત્રી બન્યા જ્યારે ચારથી પાંચ મંત્રીઓ પહેલી વાર ધારાસભ્ય સાથે મંત્રી બન્યા એવામાં બિન અનુભવી ટીમને સજ્જ બનાવવા મંત્રીઓને ટ્રેનિંગ આપવા મુખ્યમંત્રીએ પાઠશાળા શરૂ કરી છે.
વિભાગીય અધિકારીઓ થકી વહીવટી તાલીમ
સરકારના મંત્રીઓને વિભાગીય અધિકારીઓ થકી વહીવટી તાલીમ આપી વિભાગીય કામગીરીની અવગત કરવામાં આવશે સાથે અધિકારીઓ બજેટ જેવી મહત્વની બાબતો અને વિભાગની વિવિધ યોજનાઓ મુદ્દે તાલીમ અપાશે. તેમજ વિભાગની વિવિધ શાખા, સાંપ્રત વિભાગના કામો, મુલાકાતી સાથે કેવું વર્તન રાખવું, વિભાગીય બાબતોની ગુપ્તતા જાળવવી વગેરે જેવી તાલીમ માટે તમામ મંત્રીઓને 10 દિવસ સુધી મંત્રીઓને ગાંધીનગર રહેવાનો આદેશ અપાયો આ સરકારની આ પાઠશાળામાં મીડિયા બ્રિફિંગ બાબતે પણ તાલીમ આપવામાં આવનાર છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની મંત્રીઓને સુચના
ગાંધીનગર ન છોડવાની તાકિદ કરી છે એટલું જ નહીં મંત્રીઓને વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરવા સુચના પણ આપી દેવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આદેશ કરતા મંત્રીઓને સરકારી કામ સિવાય કોઈ પ્રવાસ ન કરવાની પણ સુચના આપી દેવામાં આવી છે તેમજ મંત્રીઓને આગામી બજેટના કામની સમીક્ષા કરવા સહિતની કામગીરી પર ચર્ચા કરવાના આદેશ આપી દેવાયા છે.