પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોના આરોગ્યમાં સુધારા માટે સરકાર દ્વારા દૂધ સંજીવની યોજના ચાલે છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઘણા ગામડાઓમાં બાળકોને દૂધ પૂરતા પ્રમાણમાં આપવામાં આપવામાં આવતું નથી.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કોયારી અને મોટીઝરી શાળાઓમાં સરકારની દૂધ સંજીવની યોજના દ્વારા આપવામાં આવતું દૂધ પૂરતા પ્રમાણમાં આપવામાં આવતું નથી અને જે આપવામાં આવે છે તે પણ અનિયમિત આપવામાં આવે છે. દૂધ સપ્લાય એજન્સી દ્વારા કટકી કરવામાં આવે છે. તેમજ પ્રાથમિક શાળાઓમાં દૂધ પહોંચાડનાર દૂધ કોને આપવામાં આવે તેની જાણ કરવામાં આવતી નથી. કોયારી પ્રાથમિક શાળામાં સત્ર ચાલુ થયું ત્યારથી માંડ ત્રણ દિવસ જ દૂધ આપવામાં આવ્યું છે. જ્યારે મોટીઝરી ગામ પ્રાથમિક શાળામાં પણ અનિયમિત દૂધ આપવામાં આવે છે. જેને લઇ અનેક વાર રજૂઆત કરી છે છતા પણ કોઇ સાંભળતું નથી.
આ અંગે જ્યારે દૂધ પહોંચાડનાર ડ્રાઇવરને પુછ્યું તો ડ્રાઇવરે કહ્યું કે, અમે તમામ જગ્યાએ દૂધ પૂરતું પહોંચાડીએ છીએ. ક્યાંય દૂધ ઓછું નથી મળતું. કુલ 23 ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડીમાં પૂરતું દૂધ પહોંચાડવામાં આવે છે. આમા કોઇ પ્રકારનું સેટિંગ નથી થતું.
સરકાર આદિવાસી વિસતારમાં આદિવાસી શિક્ષણને સુધારવા માટે દૂધ સંજીવની યોજના શરૂ કરી છે, પરંતુ આદિવાસીઓ આ યોજનાથી વંચિત છે. આ યોજનાથી કુપોષણ દૂર કરી શકાય તેવો રાજ્ય કારકરનો હેતુ છે, પણ સરકારનું વહીવટી તંત્ર આ બાળકોને કુપોષિત રાખશે તેવું દેખાઇ રહ્યું છે.