સ્કીમ / પ્રાઇવેટ નોકરી કરનારા માટે આવ્યા સારાં સમાચાર, દિવાળી પહેલાં સરકાર આ નવી યોજનાની કરી શકે છે જાહેરાત

government may soon announce clarification on private sector lta says anurag singh thakur

વિત્ત મંત્રી નિર્મલા સીતારમણની સાથે હવે વિત્ત રાજ્યમંત્રી અનુરાગસિંહ ઠાકુર પણ કોરોના વાયરસ મહામારીથી પ્રભાવિત અર્થવ્યવસ્થાને સુધારવાના પ્રયાસ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે અર્થવ્યવસ્થાની હાલત સુધારવા માટે કેન્દ્ર સરકાર આવનારા સમયમાં પણ જરૂરી પગલાં ભરવા માટે તૈયાર છે. સાથે એ વાતનો પણ સંકેત આપ્યો છે કે જલ્દી પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓ માટે પણ LTC (Leave Travel Allowances) અંગે સ્પષ્ટતા કરવામાં આવશે. તેમણે કહ્યું સરકારનો ઉદ્દેશ્ય વંચિત અને ગરીબ વર્ગને જરૂરી મદદ પહોંચાડવાનો છે. આ પેકેજની જાહેરાત ભલે સરકારી કર્મચારીઓ માટે કરવામાં આવી હોય પણ અમુક ખર્ચ એવી વસ્તુઓ પર થવાનો છે, જેનો સીધો લાભ નાના વેપારીઓને મળી શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ