દેશમાં કોરોનાના કેસ એક વાર ફરી વધવા લાગ્યા છે. ત્યારે કોરોનાની રસી જલ્દી ઉપલબ્ધ કરાવવી જરુરી છે. કોરોનાની રસીને લઈને એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. જાન્યુઆરીના અંત અથવા ફેબ્રુઆરીની શરુઆતમાં દેશને વેક્સીનનો પહેલો લોટ મળી જશે. ત્યારે ભારતમાં 4 દવા કંપની ક્લિનિકલ ટ્રાયલના બીજા ચરણ અથવા ત્રીજા ચરણ પર છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે રાજ્યોના મુખ્યમંત્રીઓની સાથે રસીના વિતરણ પર ચર્ચા કરી શકે છે.
પીએમ મોદી મંગળવારે એક પછી એક બેઠક કરી શકે છે
રે રાજ્યોના મુખ્યમંત્રીઓની સાથે રસીના વિતરણ પર ચર્ચા કરી શકે
દેશમાં કોરોનાના કુલ 90 લાખથી વધારે કેસ નોંધાયા છે
ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. દેશભરમાં કોરોનાના કુલ 90 લાખથી વધારે કેસ નોંધાયા છે. જેમાં 85 લાખથી વધારે દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે જઈ ચૂક્યા છે. સક્રિય કેસની વાત કરીએ તો સાડા 4 લાખની નજીક કેસ છે. દેશમાં કોરોનાની રસીનો પહેલો જથ્થો જાન્યુઆરીના અંત સુધી અથવા ફેબ્રુઆરીની શરુઆત સુધીમાં આવી શકે છે. આ રસીને પહેલા ફ્રન્ટલાઈન વર્કસ જેમ કે ડૉક્ટર, નગરપાલિકાના કાર્યકર્તાઓને આપવામાં આવશે. કેન્દ્ર સરકાર સીરમ ઈન્સ્ટીટ્યૂટને ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા રસીના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે.
યૂનાઈડેડ કિંગડમને મંજૂરી મળતાની સાથે ભારત સરકાર આ રસી માટે એસઆઈઆઈને મંજૂરી આપી દેશે. એક સત્તાવાર સૂત્રના જણાવ્યાનુંસાર ભારત સરકાર મોટા પ્રમાણમાં રસી ખરીદશે. ત્યારે સરકાર તરફથી કિંમતમાં સમજૂતી કરવામાં આવી છે. 2 ડોઝ વેક્સીન માટે 500-600 રુપિયા આપવા પડશે.
મંગળવારે પીએમ મોદી એક વર્ચ્યૂઅલ બેઠક કરી શકે છે. આ બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રી રહેશે. બેઠકમાં રાજ્યોમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. દેશમાં રસી બનાવનારી 4 કંપનીઓ ક્લિનિકલ પરીક્ષણના બીજા અથવા ત્રીજા ચરણ પર છે. આ બેઠકમાં તેના વિતરણ પર ચર્ચા કરી શકાય છે.
પીએમ મોદી મંગળવારે એક પછી એક બેઠક કરી શકે છે. પહેલી બેઠકમાં તે એ રાજ્યોના મુખ્યમંત્રીઓ અથવા પછી પ્રતિનિધિઓને સામિલ કરશે જ્યાં હાલમાં કોરોના સૌથી વધારે છે.