કેન્દ્ર સરકારે હાલમાં જ આર્થિક રૂપે પછાત સવર્ણોને સરકારી નોકરીઓ અને ઍજ્યુકેશનમાં 10 ટકા અનામત આપવાની જાહેરાત કરી છે. હવે સરકાર આ સંદર્ભે ગરીબ સવર્ણો માટે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત ઓઇલ વિતરણ કંપનીઓની હેઠળ પેટ્રોલ પંપ અને કુકિંગ ગૅસ ઍજન્સીની ફાળવણી કરશે. જાણકારી અનુસાર બે અધિકારીઓ આ કંપનીઓ કેન્દ્ર સરકારની અનામત નીતિનું અનુસરણ કરશે.
મળતી માહિતી અનુસાર નવા પાસ થયેલા કાયદો અમલમાં આવ્યા બાદ EWS શ્રેણીને 10 ટકા અનામત (રિટેલ દુકાનોની ફાળવણીમાં) આપવાની ઔપચારિક પ્રસ્તાવ યોગ્ય સમયે શરૂ કરવામાં આવશે. પેટ્રોલિયમ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ આ બાબતે કોઈ પણ ટિપ્પણી કરી ન હતી. રાષ્ટ્રપતિની મંજરી મળ્યા બાદ જલ્દીથી આ કાયદા પર અમલ કરવામાં આવશે.
HPCL અને ભારત પેટ્રોલિયમમાં પહેલેથી જ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ (OBC) માટે અનામત નીતિ છે. પેટ્રોલ પંપ અને LPG ઍજન્સીઓની ફાળવણીમાં OBC ક્વૉટાની શરૂઆત મનમોહન સિંહના નેતૃત્વવાળી યુપીએ સરકારે 20 જુલાઈ 2012ના રોજ કરી હતી.
હાલમાં આ રીતે ફાળવણી 22.5 ટકા SC અને ST માટે અને 27 ટકા OBC માટે છે. જ્યારે સંપૂર્ણ દેશમાં સામાન્ય શ્રેણીથી સંબંધ રાખનારા લોકો માટે 50.5 ટકા છે. પરંતુ આ ટકાવારી અરૂણાચલ પ્રદેશ મેઘાલય નાગાલૅન્ડ અને મિઝોરમમાં અલગ છે. પૂર્વોત્તરના રાજ્યોમાં રિટેલ દુકાનો માટે અનામત સામાજિક-આર્થિક સરંચના અનુસાર અલગ અલગ છે. અરૂણાચલમાં ST માટે 70 ટકા અનામત છે.
જ્યારે વિભિન્ન શ્રેણીઓમાં ક્વૉટાની અંદર ક્વૉટા છે. જેમાં સુરક્ષાબળ અને મહિલાઓ પણ શામેલ છે. પેટ્રોલિયમ ક્ષેત્રના ઍક્સપર્ટ્સનું કહેવું છે કે ઘણી વખતે લાભાર્થી આ ફાળવણીઓનો ખોટો ફાયદો ઉઠાવે છે અને તેને સ્થાનિક વેપારીને આપી દે છે.