ગુજરાત રાજ્યના શ્રમિકો માટે સૌથી સારા સમાચાર, ગુજરાત સરકારે ફરીથી અન્નપૂર્ણા યોજના શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.
શ્રમિકો માટે સારા સમાચાર
અન્નપૂર્ણ યોજના ફરી શરૂ કરાશે
મંત્રી બ્રિજેશ મેરજાએ લીધો નિર્ણય
ગુજરાત રાજ્યના શ્રમિકો માટે સૌથી સારા સમાચાર સામે આવ્યાં છે જે યોજના રૂપાણી સરકારમાં બંધ કરવામાં આવી હતી તે હવે ભૂપેન્દ્ર સરકાર ફરી શરૂ કરવા જઈ રહી છે. ગુજરાત સરકારે ફરીથી અન્નપૂર્ણા યોજના શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.
રાજ્યના શ્રમિકો માટે સારા સમાચાર
આ યોજના એક મહિનામાં ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવતા હવે રાજ્યાના હજારો શ્રમિકોને ફાયદો થશે. આજે શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મીરજાએ આ અંગે નિર્ણયની જાહેરાત કરી હતી મહત્વનું છે કે, શ્રમિકોને નજીવા દરે આહાર આપવાની અન્નપૂર્ણા યોજના સરકારે લોન્ચ કરી હતી. શ્રમિકોને આ યોજના અંતર્ગત માત્ર 10 રૂપિયામાં જ ટિફિન ભરી આપવામાં આવતું હતું પરતું બાદમાં આ યોજનાને રૂપાણી સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી હતી.
અન્નપૂર્ણા યોજના શરૂ કરવાનો નિર્ણય
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે તારીખ 18 જુલાઈ, 2017ના રોજ ગુજરાતના જે બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારજનો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ નક્કી કરેલાં શહેરોના કડિયાનાકા પર કાઉન્ટરો શરૂ કરીને શ્રમિકો-કામદારોને માત્ર 10 રૂપિયામાં જ ટિફિન ભરી આપવામાં આવતું હતું. જેમાં રોટલી અથવા થેપલાં, શાક, અથાણું કે ચટણી અને લીલાં મરચાં આપવામાં આવતાં હતા જેમાં શ્રમિકો જે સમયે કામ પર નીકળે ત્યારે ટિફિન ભરાવી લે એ રીતે સવારે 7થી 11 વાગ્યા સુધી ત્યાં કાઉન્ટર પર ભોજન વિતરણ કરવામાં આવતું. પરતું બાદમાં
એક મહિનામાં અન્નપૂર્ણા યોજના શરૂ કરવાનો નિર્ણય
આ યોજનાને બંધ કરી દેવામા આવી હતી પરતું હવે શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આજે શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ લેતા એક મહિનામાં અન્નપૂર્ણા યોજના ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં અગાઉ સરકારે અન્નપૂર્ણા યોજના બંધ કરી હતી તે ફરી શરૂ કરવામા આવશે તેવું શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે.