એશિયાટિક સિંહોનું એક માત્ર ઠેકાણું હોવાનું ગૌરવ સૌરાષ્ટ્રના ગીરને મળેલું છે. ત્યારે અહીં વસતા સિહોનો જેટલો કુદરતી ઉછેર થવો જોઈએ એટલું વૈજ્ઞાનિક ઢબે તેમનું સંવર્ધન થવુ જોઈએ એ પણ એટલું જરૂરી છે. ત્યારે જૂનાગઢ ખાતે આવેલા 100 વર્ષ જૂના સક્કરબાગ ઝુમાં સિહોના સંવર્ધનને લઈને કેવા અને કેવી રીતે કરવામાં આવે છે પ્રયાસ જોઈએ આ અહેવાલમાં.
એશિયાટિક સિંહોનું એક માત્ર ઠેકાણું ગીર
સંવર્ધન થયેલા સિંહો દેશના વિવિધ રાજ્યોમાંથી લાવવામાં આવ્યા
આ છે જૂનાગઢ ખાતે આવેલું 100 વર્ષથી વધારે જૂનું એશિયાટિક સિંહોનું સંવર્ધન સ્થળ અને જન્મસ્થળ જુનાગઢ ઝૂ પાર્ક જેને લોકો સક્કરબાગ તરીકે ઓળખે છે. આ એ જ સ્થળ છે કે જ્યા સંવર્ધન થયેલા સિંહો દેશના જુદા જુદા રાજ્યોમાં અને વિદેશોમાં પણ આપવામાં આવ્યા છે. અહીં બ્રિડ કરાયેલા સિંહોને 5 જેટલા દેશમાં આપવામાં આવ્યા છે. જે વિદેશમાં ભારત અને ગીરનું ગૌરવ વધારી રહ્યા છે.
જૂનાગઢના સક્કરબાગમાં આજ સુધીમાં કુલ 225 જેટલા સિંહોને બ્રીડિંગ કરી જન્મ થયો છે. તેમાંથી 17 જેટલા સિંહોને દુનિયાના અલગ અલગ દેશમાં પ્રાણી એક્સચેન્જ પોગ્રામ હેઠળ વિદેશના ઝૂમાં મોકલવામાં આવ્યા. જેમાં લંડન ઝૂ, પ્રાગ ઝૂ હેલશીંગા ઝૂ આવા 5 દેશોમાં પ્યોર એશિયન બ્રિડના સિંહો આપવામાં આવ્યા છે. બીજા 122 જેટલા એશિયાટિક સિંહોને દેશના અલગ અલગ 21 રાજ્યના ઝૂ પાર્કમાં આપવામાં આવ્યા છે. ગુજરાતભરમાં તમામ ઝૂમાં અહીંથી 85 જેટલા સિંહો આપવામાં આવ્યા છે.
સિંહનો જન્મદર વધારવામાં સફળતા મેળવવા માટે ઝૂમાં સિંહોનું વૈજ્ઞાનિક ઢબે સંવર્ધન કરવામાં આવી રહ્યું છે. સ[રબાગ ઝૂમાં સિહોના હરવા-ફરવા તેમના ખોરાક અને આરોગ્યની નિયમિત ચકાસણી કરાવમાં આવી રહી છે. ખાસ કરીને બ્રીડિંગ વધુ સફળતા પૂર્વક કરવા માટે હેલ્ધી સિંહોની પસંદગી પણ મોટો ભાગ ભજવે છે.
આ બ્રિડીંગ માટે બે પ્રકારના સેન્ટર બનાવવામાં આવ્યા છે જેમાં કેપ્ટિવ બ્રિડિંગ કરાવવા માટે એવા સિંહોની પસંદગી કરવામાં આવે છે જે સિંહ અને સિંહણ એક બીજાથી અપરિચિત હોય કેમ કે, એક બીજાથી પરિચિત સિંહ સિંહણ વચ્ચે બ્રિડિંગની સફળતા ઓછી રહે છે. જ્યારે બીજો પ્રકાર જિંગપુલ બ્રિડિંગનો છે. જેમાં અલગ ગ્રીડ તરીકે ડિવાઈડ કરી અલગ ગ્રીડ માંથી મેલ ફિમેલની પસંદગી કરવામાં આવે છે.
જ્યારે પણ સિંહણ ગર્ભવતી બને ત્યારે તેમને ઋતુ પ્રમાણે ખોરાક આપવામાં આવે છે. તેમના ખોરામાં તમામ મીનરલનું પ્રમાણ જળવાઈ રહે તેનો ખ્યાલ રાખવામાં આવે છે. જ્યારે ગરમીનું પ્રમાણ વધારે હોય ત્યારે તેના પીવાના પાણી અને ખોરાકમાં દવા આપવામાં આવે છે. ક્યારેક સિંહણ બચાની કેર ના કરી શકે તો બ્રીડિંગ નિષ્ફળ પણ જઈ શકે. આવી સિંહણ જે બચ્ચાની કેર ના કરે તેને બચ્ચાંને બહાર કાઢી તેને અલગ પાંજરા માં રાખી તેની માતાનું દૂધ હોય એવુ દૂધ પીવડાવવામાં આવે છે બહાર તેને 45 દિવસ સુધી દૂધ પીવડાવા માં આવતું હોય છે. ત્યારબાદ તે માંસાહાર તરફ વાળવામાં આવે છે.