સરકારી સ્કીમ દ્વારા આપવામાં આવતી રોજગારીમાં ભારે ઘટાડો નોંધાયો છે. સંસદમાં રજૂ કરાયેલા સરકારી આંકડાઓમાં આ માહિતી સામે આવી છે. યુવાનો અને તેની સાથે જોડાયેલી બેરોજગારીનો મુદ્દો રાજનીતિમાં કેન્દ્ર સ્થાને રહ્યો છે.
સરકારી સ્કીમથી રોજગાર મેળવનારની સંખ્યામાં ઘટાડો
PMEGP અંતર્ગત ઓછી નોકરીઓનું સર્જન થયું
વિવિધ સ્કીમમાં ગત વર્ષની સરખામણીએ આંકડો ઘટ્યો
PMEGP અંતર્ગત ઓછી નોકરીઓનું સર્જન થયું
ભારતની ચિંતા વધારનારા વધું એક આંકડા સામે આવ્યા છે. મુખ્ય આંકડામાં પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ PMEGP અને દીનદયાલ અંત્યોદય યોજનાના છે. આ બન્ને યોજના હેઠળ સરકાર રોજગાર આપવાનું કામ કરે છે.
2019-20માં માત્ર 2.6 લાખ લોકોને જ રોજગારી મળી છે
PMEGP અને દીનદયાલ અંત્યોદય યોજનાનાવનાં આંકડા બતાવે છે કે રોજગારીમાં સતત ઘટાડો થયો છે. PMEGP હેઠળ 2018-19માં 5.9 લાખ લોકોને રોજગારી મળી હતી. જે આંકડો ઘટીને 2019-20માં 2.6 લાખ થઈ ગયો છે. 2019-20માં માત્ર 2.6 લાખ લોકોને જ રોજગારી મળી છે.
રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનામાં કેટલી રોજગારી મળી
બીજી તરફ દીન દયાલ યોજનામાં પણ 2018-19માં 1.8 લાખ લોકોને રોજગારી મળી હતી. જ્યારે 2019-20માં 44 હજાર લોકોને જ રોજગારી મળી છે. બીજી તરફ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનામાં 2018-19માં 26 હજાર 796 લોકોને રોજગારી મળી હતી. જ્યારે 2019-20માં આ આંકડો માત્ર 20 હજારને જ પાર કરી શક્યો છે.
બેરોજગારી દર પહેલા કરતા પણ વધતો જઇ રહ્યો છે
નોંધનીય છે કે એપ્રિલ 2019માં સરકારી એજન્સીએ જ કહ્યું હતું કે બેરોજગારી દર 45 વર્ષના ઉચ્ચ સ્તરે છે. જોકે, ત્યારબાદ પણ સરકારે રોજગારી સર્જન માટે કોઇ ખાસ પગલા નથી ઉઠાવ્યા. પરિણામે બેરોજગારી દર પહેલા કરતા પણ વધતો જઇ રહ્યો છે.
CMIE CEOએ થોડા સમય પહેલા જણાવ્યું હતું કે...
ઉલ્લેખનીય છે તે સીએમઆઇઇના મુખ્ય કાર્યકારી અધિકારી (CMIE CEO) મહેશ વ્યાસે ફોરચ્યૂન ઇન્ડિયા સાથે વાત કરતા કહ્યું કે વર્ષ 2019માં બેરોજગારીનો દર બે વાર 8 ટકા સુધી પહોંચી ગયો. તેઓએ કહ્યું કે ભારતમાં 3-3.50 ટકાથી વધારે બેરોજગારી દરને ખુબજ ઉંચો દર માનવામાં આવે છે. બેરોજગારી દર 2017-18માં 6 ટકા, 2018-19માં 7 ટકાથી ઉપર રહ્યો અને ત્ચારબાદના વર્ષ એટલે કે 2019-2020માં અત્યાર સુધીમાં 7.5 ટકા પર આવીને રોકાઇ ગયો. આ ખુબજ ઉંચો બેરોજગારી દર છે.
સીએમઆઇઇના પ્રમુખે જે તે સમયે જણાવ્યું હતું કે દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિ સારી નથી, જે કારણે રોજગારીની તકોનું સર્જન નથી થઇ રહ્યું. જે પ્રકારે જનસંખ્યા વધી રહી છે અને દર વર્ષે નોકરીઓના બજારમાં જે રીતે બેરોજગાર જોડાઇ રહ્યા છે, એ અનુપાતમાં રોજગારની તકોનું સર્જન થઇ રહ્યું નથી.