સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે 6 વર્ષ અને તેનાથી ઓછી ઉંમરના બાળકો માટે માસ્કની ભલામણ ન કરી શકાય.
18 વર્ષથી ઓછી ઉંમરનાને એન્ટી વાયરલ અથવા મોનોક્લોનલ એન્ટીબોડીની ભલામણ ન કરી શકાય
માતા પિતાની સીધી દેખરેખમાં 6-11 વર્ષના બાળકો સુરક્ષિત અને યોગ્ય રીતે માસ્કનો ઉપયોગ કરી શકે
12 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના લોકોને વયસ્કોની જેમ માસ્ક પહેવું
18 વર્ષથી ઓછી ઉંમરનાને એન્ટી વાયરલ અથવા મોનોક્લોનલ એન્ટીબોડીની ભલામણ ન કરી શકાય
કેન્દ્ર સરકારે કહ્યું કે કોરોનાના ગંભીરતા છતાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે એન્ટી વાયરલ અથવા મોનોક્લોનલ એન્ટીબોડીનો ઉપયોગ કરવાની ભલામણ ન કરી શકાય અને જો સ્ટેરોઈડનો ઉપયોગ કરવામાં આવે છે તો તેમને નૈદાનિક સુધારના આધાર પર 10થી 14 દિવસમાં તેના ડોઝ ઓછા કરતા જવા જોઈએ. સ્વાસ્થ્ય મંત્રાલયે બાળકો અને કિશોરોમાં કોરોનાના મેનેજમેન્ટ સંબંધિત વ્યાપક દિશા- નિર્દેશમાં એમ પણ કહ્યું છે કે 6 વર્ષ અને તેનાથી ઓછી ઉંમરના બાળકો માટે માસ્કની ભલામણ ન કરી શકાય. તેમણે કહ્યું કે માતા પિતાની સીધી દેખરેખમાં 6-11 વર્ષના બાળકો સુરક્ષિત અને યોગ્ય રીતે માસ્કનો ઉપયોગ કરી શકે છે.
12 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના લોકોને વયસ્કોની જેમ માસ્ક પહેવું
મંત્રાલયે કહ્યું કે 12 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના લોકોને વયસ્કોની જેમ માસ્ક પહેવું જોઈએ. હાલમાં સંક્રમણના મામલા ખાસ કરીને ઓમિક્રોન વેરિએન્ટના કારણે મામલામાં વૃદ્ધિને ધ્યાનમાં રાખીને વિશેષજ્ઞોના એક ગ્રુપ દ્વારા દિશા- નિર્દેશોની સમીક્ષા કરવામાં આવી. મંત્રાલયે કહ્યું કે અન્ય દેશોના ઉપલબ્ધ આંકડા જણાવે છે કે ઓમિક્રોન સ્વરુપના કારણે થનારી બિમારી ગંભીર છે. જો કે મહામારીની લહેરના કારણે સાવધાનીપૂર્વક ઓબ્જર્વેશનની જરુર છે.
એન્ટીમાઈક્રોબિયલ્સ દવાઓને ત્યાં સુધી ન આપવા જોઈએ
મંત્રાલયે કહ્યું કે લક્ષણ વગરના અને હળવા મામલાના ઉપચાર માટે એન્ટીમાઈક્રોબિયલ્સ અથવા પ્રોફિલેક્સિસની ભલામણ નથી કરવામાં આવતી. મંત્રાલયે કહ્યુ કે મધ્યમ અને ગંભીર મામલામાં એન્ટીમાઈક્રોબિયલ્સ દવાઓને ત્યાં સુધી ન આપવા જોઈએ જ્યાં સુધી એક સુપરએડેડ ઈન્ફેક્શનની શંકા ન હોય.