સરકારે નવી ઇ-કોમર્સ કંપનીઓ માટે દિશા-નિર્દેશોનો ડ્રાફ્ટ જારી કર્યો છે. ગ્રાહકોના હિતોમાં સંરક્ષણ માટે આ પગલું ભરવામાં આવ્યું છે. એમાં રિફંડનની અરજીને 14 દિવસમાં પૂરું કરવાનો નિયમ પણ સામેલ છે.
ઇ-કોમર્સ કંપનીઓની મનમાની રોકવા અને કાર્યશૈલીમાં સુધાર કરવા માટે સરકારે નવી ગાઇડલાઇન્સનો ડ્રાફ્ટ જારી કરી દીધો છે. આ ડ્રાફ્ટમાં ઇ-કોમર્સ કંપનીઓને ઝપેટમાં લેતા એમની જવાબદારી નક્કી કરી દીધી છે. સરકારે આ ગાઇડલાઇન્સ પર તમામ સ્ટેકહોલ્ડર્સથી 16 સપ્ટેમ્બર સુધી મંતવ્ય માંગ્યું છે. તમામ પક્ષોની રાય જાણ્યા બાદ ઓક્ટોબરમાં ફાઇનલ નોટિફિકેશન જારી કરી શકાય છે.
14 દિવસમાં આપવું પડશે પૂરું રિફંડ
સરકારે નવી ગાઇડલાઇન્સમાં ગ્રાહકોના હિતોનું પૂરું ધ્યાન રાખ્યું છે. નવી ગાઇડલાઇન્સમાં કહેવામાં આવ્યું છે કે ઇ કોમર્સ કંપનીઓને 14 દિવસમાં પૂરું રિફંડ કરવું પડશે. સાથે જ ગ્રાહકોની ફરિયાદના 1 મહિનામાં સમાધાન કરવું પડશે. ડ્રાફ્ટમાં સરકારે કહ્યું છે કે ગ્રાહકોની સમસ્યાઓના સમાધાન માટે ઇ-કોમર્સ કંપનીઓને એક ગ્રીવેન્સ અધિકારીની નિયુક્તિ કરવી પડશે અને એની જાણકારી વેબસાઇટ પર પણ આપવી પડશે.
સામાનની કિંમત નક્કી નહીં કરી શકે કંપનીઓ
ઇકોમર્સ કંપનીઓની મનમાની પર રોક લગાવવા માટે સરકારે કહ્યું છે કે હવે કંપનીઓ સામાનની કિંમત નક્કી કરી શકશે નહીં. સાથએ જ વેબસાઇટ પર ઉપલબ્ધ તમામ સામાનોની જવાબદારી વિક્રેતાની હશે. કંપનીઓ વેંચાણ વધારવા માટે ખોટા રિવ્યૂ પણ કરાવી શકશે નહીં. કંપનીઓને 90 દિવસમાં ભારતમાં રજિસ્ટ્રેશન પણ કરાવવું જરૂરી બનશે. કંપનીઓને વિક્રેતાઓની સમગ્ર જાણકારીની સાથે ગ્રાહકોને ડેટા પણ સુરક્ષિત રાખવો પડશે.