8મા પગાર પંચની ચાતક નજરે રાહ જોઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓની આશા પર પાણી ફરી વળ્યું છે. હકીકતમાં કેન્દ્રીય કર્મચારીઓ ઘણા સમયથી એવી રાહ જોઈને બેસી રહ્યાં હતા કે સરકાર તેમને 8મા પગાર પંચનો લાભ આપશે અને તેને કારણે તેમને સેલેરીમાં મોટો વધારો આવશે પરંતુ હવે સરકારે આ મુદ્દે સ્થિતિ સ્પસ્ટ કરી દીધી છે અને સંસદમાં આ મુજબની જાહેરાત કરી દીધી છે.
સરકાર 8મા પગાર પંચની રચના નહીં કરે
નાણા રાજ્યમંત્રી પંકજ ચોધરીએ સોમવારે લોકસભામાં એવું જણાવ્યું કે 8મું પગાર પંચ નિમવાની સરકારની કોઈ દરખાસ્ત નથી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 8મા પગાર પંચની રચના કરવાનો સરકારની પાસે કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી.
Government is not considering setting up 8th Pay Commission for central government employees: Minister of State for Finance Pankaj Chaudhary
હાલમાં 7મું કેન્દ્રીય પગાર પંચ લાગુ
ઉલ્લેખનીય છે કે હાલમાં 7મું કેન્દ્રીય પગાર પંચ લાગુ છે. તેની ભલામણોના આધારે કેન્દ્રીય કર્મચારીઓને પગાર કે ડીએ વગેરે જેવી સુવિધાઓ મળે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી કર્મચારીઓને આશા હતી કે સરકારે 8મું પગાર પંચ લાગુ પાડશે.
દર દશ વર્ષે નવું પગાર પંચ આવે છે
1947 થી સાત પગાર પંચની સ્થાપના કરવામાં આવી છે. કેન્દ્ર દર 10 વર્ષ પછી સરકારી કર્મચારીઓના પગાર માળખામાં સુધારો કરવા માટે પગાર પંચની રચના કરે છે. જાન્યુઆરી 1946માં ભારતનું પ્રથમ પગારપંચ સ્થપાયું હતું. પગાર પંચનું બંધારણીય માળખું ખર્ચ વિભાગ (નાણાં મંત્રાલય) હેઠળ આવે છે.
મોંઘવારી ભથ્થાની પ્રતિક્ષા
કેન્દ્ર સરકારના કર્મચારીઓ બીજા છ માસિક ગાળામાં મોંઘવારી ભથ્થાની ખૂબ આતુરતાપૂર્વક પ્રતિક્ષા કરી રહી છે. કેન્દ્ર સરકારે આ સંદર્ભમાં ટૂંક સમયમાં નિર્ણય કરે તેવી શક્યતા છે.