નિર્મલા સીતારમણે અનુદાન માટેની પૂરક માંગણીઓ પર જવાબ આપતાં જણાવ્યું કે બાહ્ય કારણોને કારણે દેશમાં મોંઘવારી છે પરંતુ સરકારની આ બાબત પર નજર છે.
નિર્મલા સીતારમણે સદનમાં મોંઘવારીને લઇને આપી માહિતી
કહ્યું કે સરકાર મોંઘવારી પર સતત નજર રાખી રહી છે
અનુદાન માટેની પૂરક માંગણીઓ પર આપ્યો જવાબ
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર મોંઘવારી પર સતત નજર રાખી રહી છે. તેમણે કહ્યું કે દેશમાં જે મોંઘવારી છે તે સંપૂર્ણરીતે ઇંધણ અને ફર્ટિલાઇઝરની કિંમતોને કારણે ચાલે છે જે વિશુદ્ધરૂપથી બાહ્ય કારણ છે. રાજ્યસભામાં અનુદાન માટેની પૂરક માંગણીઓ પર ચર્ચા કરતાં નાણામંત્રીએ કહ્યું કે બ્લક મોંઘવારી દર 21 મહિનાનાં નીચલા સ્તર પર આવી ગઇ છે. નવેમ્બરનમાં છૂટક મોંઘવારી દર 5.88 % પર આવી ગયું છે.
Private investment capex is happening in India because of favourable policies like PLI... We are keeping a good eye on inflation that is purely extraneous nowadays because of fuel and fertiliser prices: Union Finance Minister Nirmala Sitharaman in Rajya Sabha pic.twitter.com/jf7bM7FwsM
3.25 લાખ કરોડ રૂપિયાનાં વધારાનાં ખર્ચાને મળી મંજૂરી
રાજ્યસભાનાં અનુદાનની પૂરક માંગણીઓને લોકસભામાં પાછી મોકલી દેવામાં આવી છે. જેના પછીથી વર્તમાન વર્ષમાં સરકાર 3.25 લાખ કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ કરી શકશે. નાણામંત્રીએ જણાવ્યું કે પૂરક માંગણીઓ દેશમાં ખાદ્ય સુરક્ષા, ખેડૂતોને ખાદ્ય ઉપલ્બધ કરાવવાથી લઇને ભારતીય અર્થવ્યવસ્થાને મજબૂત કરાવવા માટે લાવવામાં આવ્યું છે. નાણામંત્રીએ કહ્યું કે ટેક્સ કલેક્શનમાં જોરદાર તેજીને લઇને સરકારે વધુ ખર્ચાને પૂરું કરવામાં મદદ કરશે.
NPAમાં થયો ઘટાડો
નાણામંત્રીએ સદનને જણાવ્યું કે બેન્કોને એનપીએ, માર્ચ 2022 સુધી 6 વર્ષોનાં નીચલા લેવલ 5.9% સુધી પહોંચાડી દીધું છે. તેમણે કહ્યું કે કોરોનાની અસર હોવા છતાં સરકારનાં પ્રયાસોને કારણે મંદીમાં ગયાં વિના અર્થવ્યવસ્થાને ગતિ દેવામાં મદદ મળી છે. નાણામંત્રીએ કહ્યું કે પીએલઆઇ જેવી પોલિસીનાં લીધે પ્રાઇવેટ નિવેશને વધારવામાં મદદ મળી છે.
શું છે અનુદાનની પૂરક માંગ?
અનુદાનની જરૂરિયાત ત્યારે હોય છે જ્યારે વર્તમાન નાણાકીય વર્ષ માટે કોઇ વિશેષ સેવા માટે વિનિયોગ અધિનિયમનાં માધ્યમથી પહેલાં મંજૂર કરવામાં આવેલી રકમ ઓછી પડે છે. આ અનુદાનને સરકાર નાણાકીય વર્ષ પૂરો થયાં પહેલાં વિધાયક થકી સંસદમાં લાવી અને સદનમાં મંજૂર કરાવવામાં આવે છે. એટલે કે વધારાનાં ખર્ચા કરવા માટે સંસદ પાસેથી પરવાનગી લેવામાં આવે છે. સરકાર આ વખતે 3.25 લાખ કરોડ રૂપિયા વધારાના ખર્ચ કરવાથી અનુદાનની પૂરક માંગ લઇને આવી છે.