વોટ્સએપ જાસૂસી મામલામાં સરકારે ગુરુવારે સંસદમાં કહ્યું કે સરકાર વોટ્સએપ જેવા મેસેજિંગ પ્લેટફોર્મો પર નાગરિકોની ગોપનીયતા અને સુરક્ષા પ્રત્યે પૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદ દિગ્વિજય સિંહના ધ્યાનાકર્ષણ પ્રસ્તાવનો જવાબમાં દૂરસંચાર મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે સરકાર મેસેજિંગ પ્લેટફોર્મોને વધુ સુરક્ષિત બનાવવાની દિશામાં કામ કરી રહી છે.
વોટ્સએપ જાસૂસી મામલામાં સરકારે આપ્યું નિવેદન
રવિશંકર પ્રસાદે કહ્યું કે સરકાર મેસેજિંગ પ્લેટફોર્મોને વધુ સુરક્ષિત બનાવવાની દિશામાં કામ કરી રહી છે
રવિશંકર પ્રસાદે કહ્યું કે જાસૂસી વિવાદ સામે આવ્યાના આટલા દિવસો બાદ પણ હજુ સુધી કોઇએ ફરિયાદ નોંધાવી નથી. તેઓએ કહ્યું કે આ મુદ્દાને જાણી જોઇને રાજનૈતિક સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.
પ્રસાદે કહ્યું કે, 31 ઓક્ટોબર 2019એ મીડિયામાં સમાચાર આવ્યા હતા કે ઇઝરાયલી સ્પાઇવેયર પેગાસસ દ્વારા વોટ્સએપ પર જાસૂસી કરવામાં આવી. આ મામલામાં દૂરસંચાર મંત્રાલયે ન્યૂઝ રિપોર્ટને ધ્યાને લેતા 1 નવેમ્બરે વોટ્સએપને મેલ લખીને 4 નવેમ્બર સુધી જવાબ માંગ્યો હતો. વોટ્સએપે જણાવ્યું કે એપ્રિલથી મે 2019 વચ્ચે તેના વિશે જાણવા મળ્યું અને મે મહીનામાં જ તેને ઠીક કરી લેવામાં આવ્યું. દુનિયાભરમાં લગભગ 1400 મોબાઇલ ફોનો પર સ્પાઇવેયર મોકલવામાં આવ્યા.
દુર સંચાર મંત્રીએ કહ્યું કે મે 2019માં વોટ્સએપે સરકારને માત્ર એટલુ જ જણાવ્યું હતું કે કેટલોક ખતરો હતો પરંતુ સમસ્યાને ફિક્સ કરી દેવામાં આવી છે અને આગળ કંઇ કરવાની જરૂર નથી. તેઓએ કહ્યું કે, 26 જુલાઇ 2019 અને 11 સપ્ટેમ્બર 2019 એ વોટ્સએપના ઉચ્ચઅધિકારીઓની સાથે બેઠક થઇ હતી પરંતુ કંપનીએ આ ખતરાનો કોઇ ઉલ્લેખ કર્યો નહોતો.
રવિશંકર પ્રસાદે જણાવ્યું કે વોટ્સએપએ 5 સપ્ટેમ્બર 2019એ જણાવ્યું કે મે 2019માં તેને સ્પાઇવેયરથી જાસૂસી વિશે જાણવા મળ્યું. તેઓએ કહ્યું કે રિપોર્ટ્સ મુજબ, હેકર્સે લગભગ 121 ભારતીયોને ટારગેટ કરવાની કોશિશ કરી હતી. દૂરસંચાર મંત્રીએ કહ્યું કે, 18 નવેમ્બર 2019એ વોટ્સએપનો જવાબ મળ્યો. ત્યારબાદ 26 નવેમ્બરે વોટ્સએપ પાસે વધુ માહિતી માંગવામાં આવી.