કેન્દ્ર સરકારે BSNL અને MTNLને વેચવા કાઢી છે. આ માટે બીડ પણ બહાર પાડી દેવાઈ છે અને બન્ને કંપનીઓના વેચાણ દ્વારા 1100 કરોડ ઊભા કરવાની યોજના છે.
કેન્દ્ર સરકારનો નિર્ણય
BSNL અને MTNLને વેચવા કાઢી
1100 કરોડ ઊભા કરવાની તૈયારી
કેન્દ્ર સરકારે એસેટ મોનેટાઈઝેશન પ્રોગ્રામ હેઠળ ખોટમાં ચાલી રહેલી BSNL અને MTNLની અચલ સંપત્તિઓ વેચવાનો નિર્ણય લીધો છે. DIPAM તરફથી આ જાણકારી આપવામાં આવી છે. રોકાણ અને જાહેર સંપત્તિ પ્રબંધન વિભાગની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવેલા દસ્તાવેજો પ્રમાણે સરકારે જાહેર ક્ષેત્રની બે દૂરસંચાર કંપનીઓ BSNL અને MTNLની અચલ સંપત્તિઓને લગભગ 1100 કરોડની અનામત રમકે વેચાણ કરવા માટે સૂચિબદ્ધ કરી છે.
Non core asset monetisation commences with the first set of six properties of BSNL/ MTNL bid out on the MSTC portal. Link of the portal can be accessed at https://t.co/Kq452WOFfCpic.twitter.com/KKsaIEyah8
BSNLની મિલકતો હૈદરાબાદ, ચંદીગઢ, ભાવનગર અને કોલકાતામાં આવેલી છે
BSNLની મિલકતો હૈદરાબાદ, ચંદીગઢ, ભાવનગર અને કોલકાતામાં આવેલી છે અને તેના વેચાણ માટે 800 કરોડ રૂપિયાની અનામત કિંમત છે. મુંબઈના ગોરેગાંવમાં વાસારી હિલ ખાતે આવેલી એમટીએનએલ મિલકતોની યાદી લગભગ 270 કરોડ રૂપિયાના અનામત ભાવે વેચાણ માટે આપવામાં આવી છે. એ જ રીતે ઓશિવારામાં સ્થિત એમટીએનએલના 20 ફ્લેટ પણ કંપનીની એસેટ મોનેટાઇઝેશન યોજનાના ભાગરૂપે વેચાણ માટે મૂકવામાં આવ્યા છે. તેમની અનામત કિંમત ૫૨.૨૬ લાખ રૂપિયાથી લઈને ૧.૫૯ કરોડ રૂપિયા સુધીની છે. એમટીએનએલની મિલકતોની ઇ-હરાજી 14 ડિસેમ્બરે યોજાશે.