ગાંધીનગરઃ શિક્ષણ બોર્ડ દ્વારા 15 નવેમ્બરથી 31 ડિસેમ્બર સુધી નવી શાળાઓ શરૂ કરવા માટેની અરજીઓ મંગાવવાની જાહેરાત કરી છે. 2019માં નવી માધ્યમિક શાળાની મંજુરી માટેના નિયમોમાં શિક્ષણ બોર્ડ દ્વારા ફેરફાર કરવામાં આવ્યા છે. હવે શાળાનું માલિકીનું રમત ગમતનું મેદાન અને પાર્કીંગની જગ્યા હશે તો જ નવી શાળાને મંજુરી મળશે.
અત્યાર સુધી શહેરી વિસ્તારમાં 1200 ચોરસ મીટર અને ગ્રામ્ય વિસ્તારમાં 2000 ચોરસ મીટરનું માલિકીનું અથવા શાળાથી થોડ અંતરે ભાડાનું રમત ગમતનું મેદાન હોય તેવી શાળાઓને મંજુરી અપાતી હતી. મંજુરી મેળવવા માટે શાળાના સંચાલકો સ્કુલથી થોડા દૂર અંતરે ભાડાનું મેદાન રાખી લેતી હતી.
પરંતુ સ્કૂલો પાસે માલિકીનું રમત ગમતનું મેદાન હતુ નહીં. ત્યારે હવે સરકારના આદેશની બોર્ડે આ જોગવાઈમાં ફેરફાર કરીને સ્કુલ સંચાલક પાસે શહેરી વિસ્તારમાં 1200 ચોરસ મીટર અને ગ્રામ્ય વિસ્તારમાં 2000 ચોરસ મીટરની ખુલ્લી જગ્યા રમતગમત મેદાન માટે પોતાની માલિકીની હશે તેને જ મંજુરી મળશે.
આ અંગે કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું કે સરકારે અત્યાર સુધી જેટલી મંજૂરી આપી તેમાં મેદાનના હોય કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં મંજૂરી આપે છે. રાજ્યમાં 6921 શાળાઓમાં મેદાન નથી. શાળાઓની મંજૂરી આપવામાં ભ્રષ્ટાચાર થાય છે.