બાયોડિઝલના કાળા કારોબાર સામે પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ કહ્યું કે રાજ્યમાં આ કાળો કારોબાર 100 ટકા નાબૂદ થવો જોઈએ. સાથેજ તેમણે કહ્યું પુરવઠા વિભાગે પોલીસ સાથે મળી દરોડાની કાર્યવાહી હાથ ધરી છે.
બાયોડિઝલના કાળા કારોબાર સામે સરકારની આખ લાંલ
પુરવઠા મંત્રીએ કહ્યું આ કાળ કારોબાર 100 ટકા નાબૂથ થશે
પોલીસ સાથે સંકલન કરીને ટૂંક સમયમાં દરોડા પાડવામાં આવશે
બાયો ડિઝલના કાળા કારોબાર મામલે પુરવઠા મંત્રી જયેશ રાદડિયા દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. જેમા તેમણે કહ્યું કે રાજ્યમાં બાયોડિઝલનો કાળો કારોબાર બંધ થવો જોઈએ. ઉપરાંત તેમણે કહ્યું આ કાળોકારોબર 100 ટકા નાબૂદ થયો જોઈએ કારણકે તેના કારણે પર્યાવરણને ઘણું નુકશાન થાય છે.
પોલીસ અને પુરવઠા વિભાગ સક્રિય
મંત્રી જયેશ રાદડિયાએ એવું પણ કહ્યું કે પોલીસ સાથે સંકલન કરીને અમે રેડની કાર્યવાહી કરીશું. અગાઉ પુરવઠા વિભાગે બાયોડિઝલ મામલે દરોડા પાડવા માટે આદેશ આપ્યા હતા. ડિઝલના નામે ભેળસેળ કરીને બાયોડિઝલનો કાળો કારોબાર રદ કરવા પોલીસની સાથે હવે પુરવઠા વિબાગ પણ સક્રિય બન્યું છે.
મોટા પ્રમાણમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી
સમગ્ર મામલે મંત્રી જયેશ રાદડિયાએ એવું કહ્યું કે પોલીસે આ કાળો કારોબાર બંધ કરવા માટે મોટા પ્રમાણમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. સાથેજ તેમણે કહ્યું કે બાયોડિઝલ મામલે હવે અલગથી તપાસ પણ શરૂ કરવામાં આવશે.
નવી પોલીસી બનાવી હોવાનો ઉલ્લેખ
ગેરકાયદેસર બાયોડિઝલના વેચાણ લઈને નવી પોલીસી બનાવામાં આવી છે. તેવું મંત્રી જયેશ રાદડિયા દ્વારા કહેવામાં આવ્યું. ઉપરાંત તેમણે કહ્યું કે ગેરકાયદેસર રીતે હવે બાયોડિઝલનું વેચાણ ન થાય તે માટે ચેકિંગ ચાલું છે. થોડાસમય પહેલા જે પણ જગ્યાએ ગેરકાયદેસર વેચાણ કરનારા લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની સામે કાયદેસરની પગલા લેવામાં આવ્યા છે.