સરકારે માનસિક અથવા શારીરિક અક્ષમતાથી પીડિત બાળકો/ભાઈ-બહેનોને પારિવારિક પેન્શ આપવા માટે આવક લિમિટ વધારવાનો નિર્ણય કર્યો છે.
Family Pensionના હકદાર લોકો માટે મોટી ખબર
મોદી સરકારે કર્યા છે આ ફેરફાર
જાણો તમને શું થશે લાભ
Family Pensionના હકદાર લોકો માટે મોટી ખબર છે. સરકારે માનસિક અથવા શારીરિક અક્ષમતાથી પીડિત બાળકો/ભાઈ-બહેનોને પારિવારિક પેન્શ આપવા માટે આવક લિમિટ વધારવાનો નિર્ણય કર્યો છે. એવા બાળકો/ ભાઈ-બહેન આજીવન પરિવારિક પેન્શન માટે પાત્ર રહેશે. જો તેમની બીજી આવક તેમના પેન્શનની આવક કરતા ઓછી રહે તો. એટલે કે મૃતક સરકારી કર્મચારીઓ દ્વારા પ્રાપ્ત છેલ્લા વેતનના 30% અને સંબંધિત પેન્શનર માટે તેના પર સ્વીકાર્ય મોંધવારીની રાહતને મળીને પેન્શન બનશે.
જાણો શું મળશે લાભ?
આવા મામલામાં લાભ 8 ફેબ્રુઆરી 2021થી મળશે. હાલમાં દિવ્યાંગ બાળકો/ ભાઈ-બહેન પરિવાર પેન્શન માટે પાત્ર છે. જો પરિવાર પેન્શન ઉપરાંત અન્ય સ્ત્રોતથી દિવ્યાંગ બાળકો/ ભાઈ-બહેનની કુલ માસિક આવક 9,000 રૂપિયાની સાથે સાથે તેના પર મોંઘવારી ભથ્થાથી વધારે નથી.
આ પહેલા સરકારે બેન્ક કર્મચારીઓના પરિવારને રાહત આપવા માટે ઈન્ડિયન બેન્કિંગ એસોસિએશનના પરિવાર પેન્શનના અંતિમ નક્કી કરેલા વેતનના 30% સુધી વધવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સરકારે આ પગલાંથી બેન્ક કર્મચારીઓનું પ્રતિ પારિવારિક પેન્શન 30,000 રૂપિયાથી લઈને 35,000 રૂપિયા સુધી થઈ ગઈ છે.
પારિવારિક પેન્શન વૃદ્ધિ અને નિયોક્તાના યોગદાનમાં વધારાનો પણ પ્રસ્તાવ
સાર્વજનિક ક્ષેત્રના બેન્ક કર્મચારીઓના વેતન સંશોધન પર 11માં દ્વિપક્ષીય સમજોતામાં જેના પર ઈન્ડિયન બેન્ક એસોસિએશને 11 નવેમ્બર, 2020એ યુનિયનોની સાથે હસ્તાક્ષર કર્યા હતા. રાષ્ટ્રીય પેન્શન યોજના હેઠળ પારિવારિક પેન્શન વૃદ્ધિ અને નિયોક્તાના યોગદાનમાં વધારાનો પણ પ્રસ્તાવ હતો. તેને સ્વીકાર કરી લેવામાં આવ્યો છએ. પહેલા આ યોજનામાં પેન્શનભોગીના છેલ્લા આહ્ત વેતનના 15,20, અને 30 ટકાનો સ્લેબ હતો. તેનાથી વધારાની સીમાં 9,284 રૂપિયા હતી. તે ખૂબ જ મામુલી રકમ હતી. આટલું જ નહીં સરકારે નવી પેન્શન યોજના હેઠળ નિયોક્તાઓને યોગદાન માટે હાલ 10 ટકા વધારીને 14 ટકા કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે.