સરકારે ડોમેસ્ટિક રુટ પર વિમાન સેવાને 65 ટકા ક્ષમતાની સાથે ચલાવવાની પરવાનગી આપી દીધી છે.
સોમવારથી 65 ટકા ક્ષમતાની સાથે ઉડશે ડોમેસ્ટિક ફ્લાઈટો
મંત્રાલયે ટ્વીટ કરી આ માહિતી શેર કરી
ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ગત 2 મહિના એક તૃત્યાંશ ક્ષમતાની સાથે ઉડતા રહ્યા
સોમવારથી 65 ટકા ક્ષમતાની સાથે ઉડશે ડોમેસ્ટિક ફ્લાઈટો
સરકારે ડોમેસ્ટિક માર્ગો પર વિમાન સેવા કંપનીઓને સોમવારથી 65 ટકા ક્ષમતાની સાથે ચલાવવાની પરવાનગી આપી દીધી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સોમવારે જારી કરેલા એક આદેશમાં ક્ષમતા મર્યાદા 50 ટકાથી વધારીને 65 ટકા કરી દીધી છે. આ આદેશ તત્કાલ પ્રભાવથી લાગૂ થઈ રહ્યો છે. અને 31 જુલાઈ 2021 સુધી નેક્સ આદેશ સુધી લાગૂ રહેશે.
મંત્રાલયે ટ્વીટ કરી આ માહિતી શેર કરી
મંત્રાલયે આદેશની કોપીની સાથે ટ્વીટ કરી જણાવ્યું, ઘરેલુ હવાઈ યાત્રાને વધારવાની માંગની સાથે ઘરેલી નાગરિક ઉડ્ડયન ક્ષમતાની મર્યાદા 50 ટકાથી વધારીને 65 ટકા કરી દીધી છે.
ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ગત 2 મહિના એક તૃત્યાંશ ક્ષમતાની સાથે ઉડતા રહ્યા
ગત વર્ષને પુરા 2 મહિના સુધી દેશમાં નિયમિત પ્રવાસી વિમાનો પર પૂરી રીતે પ્રતિબંધ લગાવ્યા બાદ મંત્રાલયે એક તૃત્યાંશ ક્ષમતાની સાથે ઘરેલૂ માર્ગો પર પ્રવાસી વિમાનોની પરવાનગી આપી હતી. બાદમાં આ મર્યાદા વધારીને 80 ટકા કરી દેવામાં આવી હતી.
28 મેથી ક્ષમતા મર્યાદાને ફરી ઘટાડીને 50 ટકા કરી હતી
મહામારીની બીજી લહેર અને પ્રવાસીઓની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જેને જોતા મંત્રાલયે ગત 28 મેથી ક્ષમતા મર્યાદાને ફરી ઘટાડીને 50 ટકા કરી દીધી હતી.