ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 17 પછાત જાતિઓને લઇને મહત્વનો નિર્ણય લીધો છે. યોગી સરકારે 17 પછાત જાતિ (OBC)ને અનૂસૂચિત જાતિ (SC)ની યાદીમાં સામેલ કરી દીધી છે. આ પછાત જાતિઓને અનૂસૂચિત જાતિની યાદીમાં સમાવેશ કરવા પાછળ યોગી સરકારે જણાવ્યું કે આ જાતિઓ સામાજિક અને આર્થિક રીતે વધારે પછાત છે.
હવે આ 17 જાતિઓને અનૂસુચિત જાતિનું પ્રમાણપત્ર આપવામાં આવશે. જેના માટે જિલ્લા અધિકારીઓને આ 17 જાતિઓના પરિવારને જાતિ પ્રમાણ પત્ર આપવા આદેશ આપવામાં આવ્યો છે.
કઇ-કઇ છે જાતિ...
જે પછાત જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં નિષાદ, બિંદ, મલ્લાહ, કેવટ, કશ્યપ, ભર, ધીવર, બાથમ, મછુઆરા, પ્રજાપતિ, રાજભર, કહાર, કુમ્હાર, ધીમર, માંઝી, તુરહા, ગૌડ વગેરે છે. આ પછાત જાતિઓનો હવે SC કેટેગરીની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
યુપીની યોગી સરકારે જિલ્લા અધિકારીઓને હવે આ 17 જાતિઓના પરિવારજનોને જાતિ પ્રમાણપત્ર આપવા આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ સપા અને બસપાની સરકારે પણ આવું કરવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ સફળ થઇ શક્યા નહોતા.
Uttar Pradesh Government adds 17 castes, including Kashyap, Mallah, Kumhar, Rajbhar, Prajapati & others in the list of Scheduled Castes. District officers have been ordered to issue Caste Certificate to the families of those belonging to these 17 castes.
જો કે પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના આ પ્રયત્ન પર કોર્ટે સ્ટે લગાવ્યો હતો, પરંતુ કેટલાક મહિના અગાઉ આ સ્ટે હટાવી લેવામાં આવ્યો હતો. જેના પછી આ સરકારી આદેશ બહાર પાડવામાં આવ્યો છે. જો કે આ અંગે હજુ પણ અંતિમ ચૂકાદો અલહાબાદ કોર્ટમાંથી હજી પણ આવવાનો બાકી છે.
જો કે યોગી સરકારના આ નિર્ણય બાદ હજુ સુધી સપા અને બસપા દ્વારા આ અંગે કોઇ પ્રતિક્રિયા આપી નથી. જો કે રાજકીય વિશેષજ્ઞોનું માનવુ છે રાજ્ય સરકારનું આ પગલું આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇને લેવામાં આવ્યું છે.