દેશમાં ભાગ્યે જ કોઈક એવા લોકો હશે કે જેણે પોતાની પરિવારની સલામતીને ધ્યાને રાખીને વીમો ન લીધો હોય...મધ્યમથી અમીર વર્ગના લોકોએ મેડિકલ વીમો લીધો હશે..તો ખેડૂતોએ પાક વીમો લીધો હશે..દેશના મોટા ભાગના લોકો પોતાના પરિવારના ભાવિને સિક્યોર કરવા વીમા તો લેતા જ હોય છે..જો કે કરોડોની કિંમતનું પ્રિમિયમ ચૂકવ્યા બાદ પણ ઘણી વખત લોકોને વીમો ચૂકવવામાં કંપનીઓ અન્યાય કરતી હોય છે..અને ખાસ કરીને આવું ખેડૂતો સાથે થાય છે...પાકવીમાનું પ્રિમિયમ ખેડૂતો હોંશે હોંશ ચૂકવે તો છે પરંતુ જ્યારે વીમો આપવાની વાત આવે છે ત્યારે કંપનીઓના જ હોંશ ઉડી જાય છે..વર્ષ 2016-17ની વાત કરીએ તો દેશભરમાં પાકવીમાના નામે વીમા કંપનીઓને 22 હજાર કરોડ રૂપિયાનું પ્રિમિયમ ચૂકવવામાં આવ્યું..અને તેની સામે માત્ર 8 હજાર 144 કરોડનો જ વીમો કંપનીઓ દ્વારા મંજૂર કરવામાં આવ્યો...મતલબ કે તે બાકીની રકમ વીમા કંપનીઓ ચાઉં કરી ગઈ..વાત જો આનાથી પણ સીધી કરીએ તો દર દેશમાંથી 5 કરોડ 75 લાખ ખેડૂતોએ પાક વીમો લીધો અને માત્ર 81.75 લાખ ખેડૂતો વીમો મંજૂર થયો...એટલે 100 ખેડૂતોએ માતર 14 ખેડૂતોને વીમો ચૂકવવામાં આવ્યો છે..ત્યારે સવાલ એ છે કે શું આ વીમા કંપનીઓને સરકારે ખેડૂતોને લૂંટવાનો ઠેકો આપ્યો છે? શું સરકારનો વીમા કંપનીઓ પર કોઈ અંકુશ નથી? વીમા કંપનીઓ દ્વારા વીમાની ચૂકવણી કરવામાં આવી રહેલી લાલિયાવાડીને સરકાર કેમ નજરઅંદાજ કરી રહી છે? આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન...