દેશમાં ચાલી રહેલી કોલસા અને વીજની ગંભીર કટોકટીના મુદ્દે કેન્દ્રીય કોલસા મંત્રી પ્રહલાદ જોશીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે.
કેન્દ્રીય કોલસા મંત્રી પ્રહલાદ જોશીનું એક મોટું નિવેદન
જાન્યુઆરીથી જુન સુધી રાજ્યોને કોલસાનો સ્ટોક વધારવાની અપીલ કરી હતી
જુનમાં રાજ્યોએ કોલસો સ્વીકારવાની ના પાડી હતી
કેન્દ્રીય કોલસા મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે હું કોઈ રાજ્યનું નામ લેવા માગતો નથી પરંતુ જાન્યુઆરીથી જુન સુધી અમે રાજ્યોને સતત અનુરોધ કરી રહ્યાં હતા કે તેઓ કોલસાનો થોડો સ્ટોક વધારે. જુનમાં રાજ્યોએ કેન્દ્ર સરકારને એવી અપીલ કરી કે અમારે હવે કોલસાની જરુર નથી.
मैं किसी राज्य का नाम नहीं लेना चाहता हूं लेकिन जनवरी से जून तक हम राज्यों से अनुरोध कर रहे थे कि आप स्टॉक थोड़ा बढ़ाओ। जून में हमें कई राज्यों ने ये भी अनुरोध किया कि हमें कोयला मत भेजो: केंद्रीय कोयला मंत्री प्रह्लाद जोशी #CoalShortagehttps://t.co/Zn4lWf5MEYpic.twitter.com/fSxiiqjG0R
મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે અમે ગઈકાલે 1.94 મિલિયન ટન કોલસો સપ્લાય કર્યો છે. ઈતિહાસમાં આ ઘરેલુ કોલસાનો સૌથી વધારે સપ્લાય છે. પહેલા જે 15-20 દિવસનો કોલસાનો સ્ટેક હતો તે ઓછો થયો છે પરંતુ કાલે કોલસાનો સ્ટોક વધ્યો છે. મને વિશ્વાસ છે કોલસાનો સ્ટોક વધશે.
દેશમાં કોલસાનું ગંભીર સંકટ સર્જાયું હોવાથી આગામી તહેવારો અંધારામાં વીતે તો નવાઈ નહીં
દેશમાં કોલસાનું ગંભીર સંકટ સર્જાયું હોવાથી આગામી તહેવારો અંધારામાં વીતે તો નવાઈ નહીં. દેશની ઘણી વીજળી કંપનીઓની સામે કોલસાનું સંકટ સર્જાયું છે. દિલ્હી, પંજાબ, કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક સરકારોએ કેન્દ્ર સરકારને બગડી રહેલી સ્થિતિથી વાકેફ કરી ચૂક્યા છે.
16 પ્લાન્ટની પાસે તો એક દિવસ ચાલે તેટલો જ કોલસો
સેન્ટ્રલ ઈલેક્ટ્રીસિટી ઓથોરિટીના 7 ઓક્ટોબરના રિપોર્ટ અનુસાર દેશના 135માંથી 110 પ્લાન્ટમાં કોલસાની તીવ્ર અછત ઊભી છે અને 16 પ્લાન્ટની પાસે તો એક દિવસ ચાલે તેટલો જ કોલસો છે. 30 પ્લાન્ટની પાસે ફક્ત 1 દિવસનો કોલસો બચ્યો છે એટલે પરિસ્થિતિ ગંભીર છે તેમાં હરિયાણા, મહારાષ્ટ્રના 3 પ્લાન્ટ્ એવા છે જ્યાં એક દિવસનો પણ કોલસો બચ્યો નથી.
દેશની ઘણી વીજ કંપનીઓ કોલસાના જથ્થાની કટોકટીનો સામનો કરી રહી છે. કહેવાય છે કે આને કારણે દેશના ઘણા રાજ્યોમાં વીજળીનું સંકટ આવ્યું છે. જોકે આ મુદ્દે કેટલીક રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારના દાવાઓ વચ્ચે ઘણો તફાવત છે. સવાલ એ છે કે આવતા મહિનાની શરૂઆતમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. આવી જ એક ચિંતા એ છે કે આ વર્ષે દિવાળી અંધારામાં પસાર નહીં થાય.