રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રાલયે બુધવારે કહ્યું કે તેણે બેટરી અને મેથનોલ તથા એથનોલથી ચાલનારા સાધનોને લઇને નવી યોજના બનાવી છે.
સરકારે બદલ્યા વાહનોને લઇને 2 નિયમ
ટુવ્હીલરને લઇને નિયમોમાં થયા બદલાવ
ટુરિઝમ સાથે જોડાયેલા લોકોને થશે ફાયદો
મંત્રાલયે 5 ઓગસ્ટે રજૂ કરેલ સૂચનામાં કહ્યું કે રેન્ટ એ કેબ સ્કીમ 1989 અને રેન્ટ એ મોટરસાઇકલ સ્કીમમાં સંશોધન કરવામાં આવ્યા છે. આ વાહનોને પરમિટની આવશ્યકતાથી છૂટના કારણે મંત્રાલયે 2 યોજનાને લાગૂ કરવાથી લઇને કેટલાક રાજ્યો તરફથી ફીડબેક મળ્યા હતા.
આ વાહનોને પરમિટ લેવાની જરૂર નહી રહે. આ વાહન વગર પરમિટ કોઇ પણ પ્રકારે ઉપયોગ કરી શકાશે, એટલે કે કાયદાકીય રીતે આ વાહનોનો કમર્શિયલ ઉપયોગ કરી શકાશે. મંત્રાલયના આ નિર્ણયથી ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીને ઘણો ફાયદો થશે.
રોડ પરિવહન મંત્રાલયેબેટરી, મેથનોલ અને એથનોલથી ચાલનારી બાઇકની પરમિટની આવશ્યકતાથી મુક્ત કરી દીધુ છે. મંત્રાલયે ઇલેક્ટ્રીક વાહનોને પરમિટની છૂટ આપી રાખી હતી પરંતુ આદેશમાં ટૂ વ્હીલર વાહનો માટે સ્પષ્ટ નિર્દેશ નહોતા.
ટૂ વ્હીલર ટ્રાંસપોર્ટર આ વાહનોને ભાડે આપી કાયદાકીય રૂપમાં નહોતો આપી રહ્યો. મંત્રાલય દ્વારા આદેશ અનુસાર કાયદાકીય રીતે પરમિટ વગર ટુ વ્હીલરનો ઉપયોગ કરી શકાશે.
રોડ એન્ટ ટ્રાંસપોર્ટ ડિપાર્ટમેન્ટના આ નિર્ણયથી ટુરિઝમ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને ખુબ ફાયદો થશે. તમને જણાવી દઇએ કે ગોવા તેમજ અન્ય ટુરિઝમ પ્લેસ પર ટુ વ્હીલર ભાડે આપવામાં આવે છે.