સરકારે e-waste જનરેશનની ચિંતાને કારણે ભારતમાં રીફર્બિશ્ડ આઈફોન વહેંચવાની યોજનાને સમાપ્ત કરી દીધી છે.
ભારતમાં નહીં મળે રીફર્બિશ્ડ ફોન
ઈ વેસ્ટની ચિંતાઓને કારણે સરકારનો નિર્ણય
APPLE નું લક્ષ્ય આ સાથે પોતાની બજારનો વિસ્તાર કરવાનું હતું - નવકેન્દ્ર સિંહ
ભારતમાં નહીં મળે રીફર્બિશ્ડ ફોન
સ્માર્ટફોન્સની બજારમાં ઝડપથી રીફર્બિશ્ડ ફોનનું ચલણ વધી રહ્યું છે. પણ હવે સમાચાર સામે આવ્યા છે કે સરકારે e-waste જનરેશનની ચિંતાને કારણે ભારતમાં રીફર્બિશ્ડ આઈફોન વહેંચવાની યોજનાને સમાપ્ત કરી દીધી છે. આવો સૌથી પહેલા જણાવીએ કે રીફર્બિશ્ડ ફોન શું છે.
રીફર્બિશ્ડ ફોન એટલે શું?
રીફર્બિશ્ડ ફોન એટલે એવા ફોન જે વિક્રેતાને જો કોઈ કામકાજની ખરાબી અથવા પસંદ ન પડવા પર પાછો આપી શકાય છે. આ વિક્રેતા દ્વરા પાછો લેવામાં આવે છે અને તેને રીપેર પણ કરવામાં આવે છે. ત્યાર બાદ આ ફોન નવા જેવો બની જાય છે. પછી તેને માર્કેટમાં વહેંચવામાં આવે છે. આ ફોન અન્ય નવા ફોનની સરખામણીમાં ઘણા સસ્તા હોય છે.
APPLE ગયા અમુક વર્ષોથી સરકાર સાથે સેકંડ હેન્ડ આઈફોન્સને આયાત અને વહેંચવાની અનુમતિ આપવા માટે વાતચીત કરી રહી હતી, જેને 'પ્રિ-ઓન્ડ અને સર્ટીફાઇડ' કહેવામાં આવતું હતું. APPLE રીફર્બિશ્ડ આઈફોનને ભારતમાં મેન્યુફેક્ચર કરવામાં નિષ્ફળ રહ્યું કેમકે સરકારી નિયમોમાં યુઝડ ડીવાઈઝીસનાં ઈમ્પોર્ટનું પ્રોવિઝન નથી. એપલને અનુમતિ આપવાનો અર્થ છે અન્ય કંપનીઓ દ્વારા ભારતમાં વપરાશમાં લેવામાં આવેલા ફોન ડેપીંગનાં દરવાજા ખોલવા, જેથી મોટા પાયે ઈ- કચરો થશે.
એટલા માટે આ પ્લાનને છોડી દેવામાં આવ્યો છે. આ પ્લાનને આગળ લઇ જવાનો કોઈ ઈરાદો નથી. એપલ ઇન્ડિયાનાં પ્રવક્તાને પૂછવામાં આવેલા સવાલોનો શુક્રવાર સાંજ સુધીમાં કોઈ જવાબ મળ્યો નથી.
ઈ વેસ્ટની ચિંતાઓને કારણે સરકારનો નિર્ણય
આઈડીસી ઇન્ડિયા, સાઉથ એશિયા, ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડમાં ઉપકરણોનાં નુસંધાનનાં સહયોગી ઉપાધ્યક્ષ નવકેન્દ્ર સિંહ જણાવે છે કે એપલનું લક્ષ્ય રીફર્બિશ્ડ ફોન સાથે પોતાની બજાર હિસ્સેદારીનો વિસ્તાર કરવાનું હતું કેમકે એકવાર સ્માર્ટફોન યુઝર્સ આઈફોનનો ઉપયોગ કરવાનું શરુ કરી દે છે, તો તેને આઈફોનની આદત પડી જાય છે અને આવામાં આઈફોનનાં અપગ્રેડ થવાની સંભાવાના ઘણી વધી જાય છે પછી એ રીફર્બિશ્ડ હોય કે નવો. આ એક એવી રણનીતિ છે જે એપલ યુઝર્સને પોતાની ઇકોસીસ્ટમમાં લોક કરવામાં મદદ કરી શકે છે.