નાણા રાજ્યમંત્રીએ આજે સંસદમાં કહ્યું કે હાલ સરકારી બેન્કોના મર્જરની સરકારની કોઈ યોજના નથી.
બેન્કો ખાનગીકરણને લઈને મોટા સમાચાર
સરકારે સંસદમાં મર્જરને લઈને કહી આ વાત
હાલમાં મર્જર અને ખેડૂતોના લોન માટે સરકારનો શું છે પ્લાન?
નાણા રાજ્યમંત્રીએ આજે સંસદમાં કહ્યું છે કે હાલ સરકારી બેન્કોના મર્જરની સરકારીની કોઈ યોજના નથી. તેને લઈને કોઈ પણ પ્રકારનો કોઈ પ્રસ્તાવ પણ નથી આપવામાં આવ્યો. બે બેન્કોના ખાનગીકરણ કરવામાં આવશે તેની ધોષણા પહેલા જ બજેટ 2021માં જ કરવામાં આવી ચુકી છે. તે ઉપરાંત નાણા રાજ્યમંત્રીએ કહ્યું કે હાલ ખેડૂત લોનને માફ કરવાને લઈને પણ કોઈ પ્રકારની યોજના નથી. ખેડૂતો લોનમાં તે લોન પણ શામેલ છે જે SC/ST ખેડૂતોને આપવામાં આવી હતી.
આ વર્ષે ખાનગીકરણનું લક્ષ્ય હતુ
1 ફેબ્રુઆરી 2021 ના રોજ બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે બે બેન્કો અને સરકારી વીમા કંપનીના ખાનગીકરણની જાહેરાત કરી હતી. સરકારે ચાલુ નાણાકીય વર્ષ એટલે કે 2021-22 માટે 1.75 લાખ કરોડના વિનિવેશ અને ખાનગીકરણનું લક્ષ્ય નક્કી કર્યું છે.
નીતિ આયોગને સોંપવામાં આવી હતી જવાબદારી
નીતિ આયોગને ખાનગીકરણ માટે પસંદગીની જવાબદારી સોંપવામાં આવી છે. હાલની માહિતી મુજબ, ખાનગીકરણ માટે ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની પસંદગી કરવામાં આવી છે. જોકે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
મોદી સરકારે ક્યારે ક્યારે કર્યું છે બેન્કોનું મર્જર
કેન્દ્રની મોદી સરકારે બે અલગ અલગ ચરણમાં સરકારી બેન્કોની હાલતમાં સુધારો કરવા માટે Bank Consolidationની પ્રક્રિયા અપનાવી છે. 2019માં 10 સરકારી બેન્કોનું મર્જર કર્યું હતું. તે હેઠળ છ કમજોર બેન્કોનું મર્જર ચાર મોટી બેન્કોમાં કર્યું હતું. પંજાબ નેશનલ બેન્કમાં ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયાનું મર્જર કર્યું હતું. ઈલાહાબાદ બેન્કનું મર્જર ઈન્ડિયન બેન્કમાં કર્યું હતું. સિન્ડીકેટ બેન્કનું મર્જર કેનરા બેન્કમાં કર્યું હતું. યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયામાં આંધ્રા બેન્ક અને કોર્પોરેશન બેન્કનું મર્જર કરવામાં આવ્યું હતું.