ભારતમાં કોરોના વાયરસ કેટલાય મહિનાઓથી તાંડવ મચાવી રહ્યો છે ત્યારે દેશવાસીઓ જલ્દી રસી આવે તેની રાહ જોઇને બેઠા છે એવામાં સરકારે વેક્સિન પર દેશ હચમચી જાય તેવું નિવેદન આપ્યું છે.
સરકારે આપી સફાઈ બધાને નહી આપવામાં આવે કોરોના વેક્સિન
સરકારે કહ્યું અમે ક્યારેય કહ્યું જ નથી કે આખા દેશમાં રસીકરણ થશે
સંક્રમણની ચેન તૂટી ગયા બાદ બીજાને રસીની જરૂર નથી : સરકાર
ભ્રમમાં ન રહેતા
ભારતમાં કોરોના વાયરસ સામે જ્યારથી વેક્સિન અંગે સમાચાર સામે આવી રહ્યા છે ત્યારથી જ ઘણા બધા લોકો એમ રાહ જોઇને બેઠા છે કે જયારે રસી આવશે ત્યારે તેમને ડોઝ આપવામાં આવશે, જો તમે પણ એવું જ વિચારી રહ્યા હોવ તો બંધ કરી દેજો કારણ કે સરકાર કહી રહી છે કે બધાને રસી આપવાની જરૂર નથી.
આખી વસ્તીને રસી આપવાની જરૂર નથી
ભારત સરકાર દ્વારા નિયમિત રૂપે પ્રેસ કોન્ફ્રેન્સ કરવામાં આવે છે જેમાં સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે હું સાફ કરી દેવા માંગુ છું કે સરકારે ક્યારે કહ્યું જ નથી કે આખા દેશમાં રસીકરણ કરવામાં આવશે. જે બાદ ICMRના બલરામ ભાર્ગવે કહ્યું કે રસીકરણ તો રસીની અસરકારકતા પર અસર કરશે જેમાં અમારો ઉદ્દેશ સંક્રમણની કડીને તોડવાનો છે. જો વધારે જોખમ ધરાવતા નાગરિકોને વેક્સિન આપવામાં સફળતા મળે અને સંક્રમણની કડીને તોડી દેવામાં આવે તો આખી વસ્તીને રસી આપવાની જરૂર નથી.
નોંધનીય છે કે કોરોના વાયરસે આખા વિશ્વમાં આતંક મચાવ્યો છે ત્યારે હવે વિવિધ દેશોમાં કોરોના સામે લડવા માટે સંજીવનીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. રશિયાએ સૌથી પહેલા રસીની જાહેરાત કરી અને હાલમાં અમેરિકા પણ દાવો કરી રહ્યું છે કે હવે ટૂંક સમયમાં રસીકરણ શરુ કરી દેવામાં આવશે ત્યારે ભારતમાં પણ દેશી કોરોના વેક્સિન પર કામ થઇ રહ્યું છે. ભારત સરકાર પણ રસી પર નજર રાખી રહી છે અને ભારતનાં નાગરિકોને રસી ઉપલબ્ધ કરાવવા માટે તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.
સરકારે કહ્યું કે દરરોજ થઇ રહેલા ટ્રાયલ પર નજર રાખવામાં આવી રહી છે અને કોઈ પણ પ્રકારના સાઈડઈફેક્ટ હશે તેના પર પણ નજર રહેશે. ડ્રગ કંટ્રોલર જનરલ બધા જ રિપોર્ટ જોઈ રહ્યા છે.