સુપ્રીમ કોર્ટની એક ટિપ્પણીથી એકવાર ફરી કોમન સિવિલ કોડ (Uniform civil code) નો મુદ્દો ગરમાયો છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે આપેલા એક ચૂકાદામાં કહ્યું છે કે દેશના દરેક નાગરિકો માટે કોમન સિવિલ કોડ લાગુ કરવા માટે હજુ સુધી કોઇ પ્રયત્ન કરાયો નથી. જો કે બીજા કાર્યકાળમાં કેન્દ્રની મોદી સરકારે જેમ ત્રિપલ તલાક બિલ સંસદમાં પાસ કરાવી દીધું છે જેને લઇને માનવામાં આવી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટની આ ટીપ્પણી બાદ સરકાર આ અંગે વિચાર કરી શકે તેમ છે.
કોમન સિવિલ કોડ લાગુ કરવા સરકારે હજુ સુધી નથી કર્યો કોઇ પ્રયત્ન
પોર્ટૂગલી કાયદો હવે ભારતીય કાયદાનો એક ભાગઃ કોર્ટ
સુપ્રીમ કોર્ટની ટીપ્પણી બાદ મોદી સરકાર કરી શકે છે આ અંગે વિચાર
જો કે આ સંબંધમાં સુપ્રીમ કોર્ટ ઘણી વાર નિર્દેશ કરી ચૂકી છે. ન્યાયાધીશ દીપક ગુપ્તા અને ન્યાયાધીશ અનિરુદ્ધની ખંડપીઠે પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે ગોવા ભારતના રાજ્યોનું એક શાનદાર ઉદાહરણ છે. જ્યાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code) લાગુ છે. જ્યાં કોઇપણ ધર્મની કાળજી વગર આ લાગુ કરાયો છે. કોર્ટની ખંડપીઠે આ એક સંપત્તિ વિવાદ મામલાને લઇને ટિપ્પણી કરી હતી.
કોર્ટની ખંડપીઠે જણાવ્યું હતું ગોવા રાજ્યમાં લાગૂ પોર્ટૂગલી નાગરિક સંહિતા, 1867 છે, જે ઉત્તરાધિકાર અને વિરાસતના અધિકારનું સંચાલન કરે છે. જયારે ભારતની અંદર ગોવા સિવાય કોઇ રાજ્યમાં આ કાયદો લાગૂ નથી.
કોર્ટે જણાવ્યું કે રસપ્રદ વાત એ છે કે રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંતો સાથે જોડાયેલ ભાગ ચાર સંવિધાનના અનુચ્છેદ 44 માં આશા હતી કે રાજ્ય ભારતમાં સમાન નાગરિક સંહિતા માટે પ્રયત્ન કરશે. જો કે આ સંબંધમાં હજી સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
જો કે હિન્દુ અધિનિયમોને 1956માં ઘડવામાં આવ્યો હતો, પરંતુ આ કોર્ટના પ્રોત્સાહન બાદ પણ દેશમાં દરેક નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા (કોમન સિવિલ કોડ) લાગુ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો નથી.
ગોવાને લઇને સૂપ્રીમ કોર્ટે દોર્યું ધ્યાન
જો કે કોર્ટે પોર્ટૂગાલી નાગરિક સંહિતાને વિદેશી કાયદો કહી શકાય તેવા સવાલ પર પણ ધ્યાન દોર્યું હતું. કોર્ટની ખંડપીઠે કહ્યું કે આ કાયદો ત્યાં સુધી લાગુ નથી થતો જ્યાં સુધી ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ન થાય અને પોર્ટૂગલ નાગરિક સંહિતા ભારતીય સંસદના એક કાયદાના કારણે ગોવામાં લાગુ છે.
ખંડપીઠના અનુસાર પોર્ટૂગલનો કાયદો ભલે વિદેશી મૂળનો હોય, પરંતુ ભારતીય કાયદાનો એક ભાગ બન્યો અને તેનો સાર એ છે કે આ ભારતીય કાયદો છે. હવે આ વિદેશી કાયદો નથી. ગોવા ભારતનું એક રાજ્ય છે. ગોવાના દરેક લોકો ભારતના નાગરિક છે.
સુપ્રીમની ટીપ્પણી બાદ મોદી સરકાર કરી શકે છે વિચાર
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે ત્રણ તલાક પર બિલ પસાર કરી ચૂકેલી કેન્દ્રની ભાજપ સરકારના એજન્ડામાં કોમન સિવિલ કોડ પણ છે. મોદી સરકારના ગત કાર્યકાળમાં આ મુદ્દા પર દરેક લોકોનો અભિપ્રાય માટે લૉ કમીશન બનાવવામાં આવ્યું હતું, જેને પોતાનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો.
જો કે વિપક્ષના ભારે વિરોધના કારણે ત્રિપલ તલાકની જેમ કેન્દ્રની મોદી સરકારને આ મામલે પીછેહઠ કરવી પડી હતી. જો કે બીજા કાર્યકાળમાં જેમ ત્રિપલ તલાક સંસદમાં પાસ કરાવી દીધું છે જેને લઇને માનવામાં આવી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટની આ ટીપ્પણી બાદ એકવાર ફરી સરકાર આ અંગે વિચાર કરી શકે તેમ છે.