કોરોનાની ત્રીજી લહેરના આગમન વિષે દેશભરમાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે સરકાર દ્વારા કોવિડ સામે લડવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
શું છે સરકારની વ્યવસ્થા?
ટોસીલીઝૂમેબનું ઉત્પાદન શરૂ
વેકસીનેશન પર વધારે ભાર
નજીકના સમયમાં કોરોનાની ત્રીજી લહેરના આગમન વિષે ભણકારા વાગી રહ્યા છે. જો હવે કોરોનાની ત્રીજી લહેર આવે તો સરકાર કેવી વ્યવસ્થા સાથે તૈયાર છે? આ પ્રશ્નનો ઉત્તર લગભગ દરેક ભારતીયને મેળવવો હશે. આ રહ્યો એ સવાલનો જવાબ.
શું છે સરકારની વ્યવસ્થા?
- 50 લાખ રેમડેસીવીરના વાયલ તૈયાર
- ટોસીલીઝૂમેબનું ઉત્પાદન શરૂ
- વેક્સિન પણ કરવામાં આવશે આયાત
- 1573 ઑક્સીજન પ્લાન્ટ્સમાં 293 પ્લાન્ટ કમિશન કરવામાં આવ્યા
- 1244 ઑક્સીજન ટેન્કર પણ હાજર
કોરોનાની બીજી લહેર દરમિયાન રેમડેસીવીર અને ટોસીલીઝૂમેબ ઈંજેક્શન ખૂબ મહત્વપૂર્ણ દવાઓ હતી. હવે સરકારે એ બંનેનું પ્રોડક્શન ઘરઆંગણે વધારવા માટે નિર્ણય કર્યો છે. અગાઉ સરકારે પ્રોડક્શન વધારવા પર જોર ન્હોતું આપ્યું જેના કારણે તેની સતત અછત વર્તાઇ હતી. હવે ટોસીલીઝૂમેબ પણ ભારતમાં જ બનાવવામાં આવશે જેની પેટન્ટ સ્વિત્ઝર્લેન્ડની કંપની હાફમેન પાસે છે. આ સિવાય 50 લાખ રેમડેસીવીરના વાયલ તૈયાર રાખવામાં આવ્યા છે જરૂર પડ્યે રાજ્ય સરકારોને મોકલી આપવામાં આવશે. ભારતમાં સાત લાઇસન્સ ધારક ઉત્પાદકો છે જે દર મહિને સવા કરોડ વાયલ બનાવવાની ક્ષમતા ધરાવે છે. હવે તેમણે 3 કરોડ વાયલનું ઉત્પાદન કર્યું છે.
કર્ણાટકમાં ત્રીજી લહેર શરુ થઈ હોવાની શક્યતા: નિષ્ણાંતો
રાજ્ય સરકાર દ્વારા આંકડામાં જણાવાયું કે રાજધાની બેંગ્લોરમાં છેલ્લા પાંચ દિવસમાં ઓછામાં ઓછા 242 બાળકો કોરોના પોઝિટીવ નીકળ્યાં છે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ ચેતવણી આપી કે આગામી સમયમાં કોરોનાના કેસોની સંખ્યા હજુ પણ વધી શકે છે. કોરોનાની બીજી લહેર દરમિયાન નિષ્ણાંતો આશંકા વ્યક્ત કરી રહ્યાં છે કે ત્રીજી લહેર બાળકોને સૌથી વધારે પ્રભાવિત કરી શકે છે.
વેકસીનેશન પર ફોકસ
સરકારે વર્તમાન સમયમાં દેશમાં વેકસીનેશન પર વધારે ભાર મૂક્યો હોવાનું જણાય છે. હાલ ભારત પાસે છ સ્વદેશી વેક્સિન નિર્માતા છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા જેવા મોટા ઉત્પાદકો સરકાર સાથે વિદેશથી વેક્સિન આયાત માટે પણ ચર્ચા કરી રહી છે.