ગાંધીનગરઃ એક બાજુ મહારાષ્ટ્ર સરકાર મરાઠાઓને આંદોલન આપી શકે તેવા સંકેતો રાજ્યના મુખ્યમંત્રી ફડણવીસે આપ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ અનામતનો મુદ્દો ફરી ચર્ચાઇ રહ્યો છે. ત્યારે અનામત મુદ્દે નીતિન પટેલે નિવેદન કર્યુ હતું.
તેમણે જણાવ્યુ હતું કે ગુજરાતમાં અનામતનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. ગુજરાત સરકારે EBC મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. મહારાષ્ટ્રમાં કમિશન દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. મરાઠા સમાજને OBC સમકક્ષ ગણવા કે નહીં તે અંગે અહેવાલ રજૂ થયો છે. ગુજરાતમાં પ્રક્રિયા ચાલી રહી છે પંચને અહેવાલ સોંપાયો નથી.
તો આ તરફ મરાઠાને અનામત આપવાના નિર્ણય અંગે શક્તિસિંહ ગોહિલે પણ નિવેદન કર્યુ હતું. તેમણે કહ્યું કે અમે અગાઉ પણ કહ્યું હતું કે ગુજરાતમાં બિનઅનામત વર્ગોને આર્થિક અનામત આપી શકાય ત્યારે અમારી માંગને ભાજપે હાસ્યાસ્પદ ગણાવી હતી. મહારાષ્ટ્રમાં મરાઠાને અનામત મળી શકતું હોય તો ગુજરાતમાં પાટીદારોને કેમ નહિ ?