એરલાઈન્સ કંપનીઓને એક મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે તેને મહિનામાં 15 દિવસ સુધી ભાડુ નક્કી કરવાની મંજૂરી આપી દીધી છે.
એરલાઈન્સ કંપનીઓને એક મોટી રાહત
મહિનામાં 15 દિવસ સુધી ભાડુ નક્કી કરી શકશે
બાકીના 15 દિવસ સરકાર કહે તેમ કરવું પડશે
કેન્દ્રની મંજૂરી બાદ એરલાઈન્સ કંપનીઓ મહિનામાં 15 દિવસ ભાડુ નક્કી કરી શકશે જ્યારે બાકીના 15 દિવસ સરકાર ગમે તેમ કરવુ પડશે.
ભાડા બેન્ડને આધારે અત્યાર સુધી સૌથી વધારે રેન્ટની લિમિટ નક્કી કરી રહી હતી પરંતુ હવે તેમાં છૂટ અપાઈ છે. હવે સરકાર મહિનામાં ફક્ત 15 દિવસની લિમિટ નક્કી કરશે જ્યારે 15 દિવસ સુધી એરલાઈન્સ કંપનીઓ પોતાની મેળે નક્કી કરી શકશે.
85 ટકા પ્રવાસીઓ વિમાની મુસાફરી કરી શકશે
તે ઉપરાંત, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તમામ પ્રવાસી ક્ષમતાને 72.5 ટકાથી વધારીને 85 ટકા કરી દેવાયું છે. એટલે કે ઘરેલુ ફ્લાઈટમાં હવે પહેલાની તુલનામાં વધારે પ્રવાસી સફર કરી શકશે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જ્યારે કોરોના મહામારીએ દસ્તક દીધી હતી ત્યારે વિમાની સેવાઓને અટકાવી દેવાઈ હતી. ઘણા દિવસો સુધી બંધ રહ્યા બાદ ઘરેલુ ફ્લાઈટ સેવાઓ ચાલુ કરવામાં આવી હતી પરંતુ પ્રવાસી સંખ્યા 50 ટકા કરી દેવાઈ હતી, પછીથી તેને 72.5 ટકા કરી દેવાઈ હતી. હવે મંત્રાલય આ લિમિટ વધારીને 85 ટકા કરી દીધી છે.