કર્મચારી રાજ્ય વિમા સ્વાસ્થ્ય વિમા યોજનાના લાભાર્થીઓના ઘરની 10 કિમીના વિસ્તારમાં હોસ્પિટલ નથી તો તે ESICના પ્રાઇવેટ હોસ્પિટલમાં ઇલાજ માટે જઇ શકે છે.
ESICના કર્મચારીઓને મળશે લાભ
સરકાર આપશે તમને સુવિધા
21 હજાર પગાર હશે તો મળશે ઘર પાસે સેવા
ESICનો આ લાભ તે કર્મચારીઓને જ મળશે જેમની માસિક સેલેરી 21000 રૂપિયા કે તેનાથી ઓછી છે. જો કે દિવ્યાંગોના કેસમાં આ રકમ 25000 રૂપિયા સુધી રાખવામાં આવી છે. કેન્દ્ર સરકારની આ યોજનામાં કર્મચારી અને કંપની બંનેનું યોગદાન હોય છે. જે કર્મચારીનું પ્રતિદીન વેતન 137 રૂપિયા હોય છે તે લોકોએ આમાં યોગદાન આપવું નથી પડતું.
શ્રમ મંત્રાલયના નિવેદન અનુસાર નવા ક્ષેત્રોમાં પણ ઇએસઆઇ યોજનાનો વિસ્તાર કરવાના પરિણામસ્વરૂપ લાભાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. આ લાભાર્થીઓને તેમના ઘરની આસપાસ હોસ્પિટલની સેવા શરૂ કરાવવા માટે નિરંતર પ્રયાસ થઇ રહ્યાં છે.
કોઇ મંજૂરીની જરૂર નહી
તેમાં કહેવામાં આવ્યું છે કે આ સમયે કેટલાક ક્ષેત્રોમાં ઇએસઆઇના હોસ્પિટલ કે આઇએમપી 10 કિમીની અંદર નથી તો લાભાર્થીઓ ESICના પ્રાઇવેટ હોસ્પિટલમાં ઇલાજ માટે જઇ શકે છે. તેના માટે કોઇ મંજૂરી લેવાની જરૂર નથી.
સાથે લઇ જાઓ ડૉક્યુમેન્ટ
મંત્રાલયના કહ્યાં અનુસાર આ લાભાર્થીઓને ઇએસઆઇ પેનલમાં સામેલ કરવા માટે હોસ્પિટલમાં ઓપીડી સેવાઓની મફત સેવા લેવા ઇએસઆઇ ઓળખાણ કાર્ડ, સ્વાસ્થ્ય પાસબૂક કે આધાર કાર્ડ લઇ જવાની જરૂર રહેશે.
દવાઓ માટે આપેલા પૈસાનું મળશે રિફંડ
આવા લાભાર્થીઓને ઓપીડીમાં ડૉક્ટર દ્વારા લખેલી દવાઓ ખરીદી હોય તો તેના પૈસા પણ પરત મળશે. આ સુવિધા લેવા માટે ઇએસઆઇસીના ક્ષેત્રીય કાર્યાલયમાં જવુ પડશે.