મોદી સરકારે ઘર ખરીદનારાને દિવાળીની ગિફ્ટ આપી છે. સરકારે ઘરની ખરીદી પર સર્કલ રેટમાં ભારે છૂટની જાહેરાત કરી છે. સરકારે સર્કલ રેટમાં છૂટને 10 ટકાથી વધારીને 20 ટકા સુધીની કરી છે. નાણાંમંત્રીએ 2 કરોડ રૂપિયા સુધીની હાઉસિંગ યૂનિટ્સની પહેલી વાર સર્કલ રેટથી ઓછી કિંમતના વેચાણ પર ટેક્સના નિયમોમાં છૂટની જાહેરાત કરી છે. સરકારની આ યોજનાથી રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટને વધારો થશે અને સાથે મધ્યમ વર્ગ રાહત અનુભવી શકશે. તો જાણો કઈ રીતે મળશે મોટો ફાયદો.
મોદી સરકારે ઘર ખરીદનારાને દિવાળીની ગિફ્ટ
સર્કલ રેટમાં છૂટને 10 ટકાથી વધારીને 20 ટકા સુધીની કરી
જાણો કઈ રીતે મળશે મોટો ફાયદો
ખરીદનાર અને વેચનાર બંને માટે ટેક્સમાં છૂટ મેળવવાના આ છે નિયમ
તમારો ફ્લેટ કે મકાન નવું હોય તે જરૂરી છે. રિસેલ વાળા ફ્લેટ પર છૂટ નહીં મળે.
ઘરની કિંમત 2 કરોડથી ઓછી હોવી જોઈશે.
આ સુવિધાનો લાભ 30 જૂન 2021 સુધી જ મળશે.
જાણો શું થશે ફાયદો
સેક્શન 43 સી અને 50સીના આધારે ખરીદનાર અને વેચનારને ટેક્સ ચૂકવવો પડતો હતો.
સ્ટેમ્પ ડ્યૂટી અને એગ્રીમેન્ટ વેલ્યૂમાં 10 ટકાથી વધારે અંતરે LTCG ટેક્સ ચૂકવવો પડતો હતો.
આત્મનિર્ભર ભારત પેકેજ 3.0ના અંતર્ગતની જાહેરાત
નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે આત્મનિર્ભર ભારત પેકેજ 3.0માં આ જાહેરાત કરી હતી. નાણાંમંત્રીએ ગુરુવારે 2,65,080 કરોડ રૂપિયાના આર્થિક રાહત પેકેજની જાહેરાત કરી હતી. આ પેકેજમાં સરકારે ઉદ્યોગની સાથે મજૂર, ખેડૂત અને મધ્યમ વર્ગને પણ રાહત આપી છે. તેઓએ કહ્યું કે ઘર ખરીદનારા અને ડેવલપર્સને ટેક્સમાં રાહત અપાશે. સર્કલ રેટ અને એગ્રીમેન્ટ વેલ્યૂમાં અંતરને 10 ટકાથી 20 ટકા સુધી કરવાનો નિર્ણય પણ લેવાયો છે.
દિવાળી ગિફ્ટ પર આ રીતે લાગશે જીએસટી
જો તમે અલગ અલગ સામાનની એક બાસ્કેટ બનાવીને ગિફ્ટ કરો છો તો અલગ અલગ GST વાળા પ્રોડક્ટ્સની સાથે પેકેજિંગ પર જીએસટી લાગશે. બાસ્કેટમાં GSTના સૌથી ઉંચા રેટના પ્રોડક્ટના આધારે GST લાગશે. તેનાથી છૂટના વિસ્તારમાં આવનારા સામાન પર પણ GST લાગી જશે.