રાહત / મોદી સરકારે ઘર ખરીદનારાઓને ઈન્કમ ટેક્સમાં આપી મોટી રાહત, આ રીતે મળી શકશે ફાયદો

government gives big relief to home buyers increases circle rate concession by 20 percent home loan

મોદી સરકારે ઘર ખરીદનારાને દિવાળીની ગિફ્ટ આપી છે. સરકારે ઘરની ખરીદી પર સર્કલ રેટમાં ભારે છૂટની જાહેરાત કરી છે. સરકારે સર્કલ રેટમાં છૂટને 10 ટકાથી વધારીને 20 ટકા સુધીની કરી છે. નાણાંમંત્રીએ 2 કરોડ રૂપિયા સુધીની હાઉસિંગ યૂનિટ્સની પહેલી વાર સર્કલ રેટથી ઓછી કિંમતના વેચાણ પર ટેક્સના નિયમોમાં છૂટની જાહેરાત કરી છે. સરકારની આ યોજનાથી રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટને વધારો થશે અને સાથે મધ્યમ વર્ગ રાહત અનુભવી શકશે. તો જાણો કઈ રીતે મળશે મોટો ફાયદો.

બ્રેકિંગ ન્યૂઝ