સરકારે ભ્રષ્ટાચાર અને ગેર કાયદેસર પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા અધિકારીઓને બહારનો રસ્તો દેખાડવા આયકર વિભાગના વધુ 21 અધિકારીઓને સમય પહેલા જ રિટાયર કરી દીધા છે. નાણા મંત્રાલયના સૂત્રો તરફથી આ જાણકારી આપવામાં આવી છે.
સરકારે આયકર વિભાગના વધુ 21 અધિકારીઓને સમય પહેલા રિટાયર કરી દીધા
રિટાયર કરાયેલા અધિકારીઓ ભ્રષ્ટાચાર અને ગેર કાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા
સરકારે જુનમાં કમિશનર સ્તરના 15 અધિકારીઓને જબરદસ્તીથી રિટાયર કરી દીધા
સૂત્રો અનુસાર, કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ ( CBDT ) એ કેન્દ્ર સરકારના કર્મચારીઓની સેવા નિયમાવલીના નિયમ 56 (J) હેઠળ જાહેર હિતમાં બી સમૂહના 21 આયકર અધિકારીઓને ભ્રષ્ટાચાર અને બીજા આરોપોમાં અનિવાર્ય રીતે રિટાયર કરી દીધા છે.
અત્યાર સુધીમાં 85 ટેક્સ અધિકારી બહાર
આ વર્ષે જૂન બાદ આ પાંચમી વાર છે, જ્યારે સરકારે ભ્રષ્ટ કર અધિકારીઓને નોકરીઓથી નીકાળ્યા છે. આમ 85 કર અધિકારીઓને બહાર કરી દેવામાં આવ્યા છે. તેમા 64 ઉચ્ચ સ્તરના અધિકારી હતા. આ ઉચ્ચ સ્તરીય અધિકારીઓમાં 12 CBDTના હતા. આ પહેલા સપ્ટેમ્બર મહીનામાં સરકારના 15 કર અધિકારીઓને અનિવાર્ય રીતે રિટાયર કરી દેવામાં આવ્યા હતા.
સૂત્રોનું કહેવું છે કે આ વખતે જે અધિકારીઓને નીકાળવામાં આવ્યા છે. તેમા CBDTના મુંબઇ કાર્યાલયના ત્રણ અને ઠાણેના બે અધિકારી સામેલ છે. અન્ય અધિકારી વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, રાજમુંદરી, બિહારના હજારીબાગ, મહારાષ્ટ્રના નાગપુર, ગુજરાતના રાજકોટ, રાજસ્થાનના જોધપુર, માધોપુર તથા બીકાનેર અને મધ્યપ્રદેશના ઇંદોર અને ભોપાલમાં તહેનાત હતા.
આ પહેલા સરકારે જુનમાં સીબીઆઇસીના કમિશનર સ્તરના 15 અધિકારીઓને જબરદસ્તીથી રિટાયર કરી દીધા હતા.