સુરત અને ગાંધીનગરમાં દુષ્કર્મ કેસ મામલે સરકારે પીડિત બાળકીઓના પરિવારને 4થી7 લાખ રૂપિયાની ગુજરાત સરકાર ચૂકવાશે આર્થિક સહાય
સુરત અને ગાંધીગરમાં દુષ્ક્રર્મના કેસનો મામલો
દુષ્કર્મ પીડિત બાળકીઓને સહાય ચૂકવાશે
રૂપિયા 4 થી 7 લાખ સુધીની ચુકવાશે સહાય
રાજયમાં દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થયો છે દિન પ્રતિદિન અનેક દુષ્કર્મના બનાવો સામે આવી રહ્યા છે, દુષ્કર્મમાં પીડિતા પરિવારજનોને આર્થિક મદદ મળે તે માટે દુષ્કર્મ પીડિત બાળકીઓને સહાય ચૂકવાશે આ માટે મહિલા અને બાળ આયોગ આગળ આવ્યું છે.
દુષ્કર્મ પીડિત બાળકીઓને સહાય ચૂકવાશે
મહત્વનું છે કે દુષ્કર્મ એ મહિલાઓ સાથે થતા ગુનાઓમાંનો સૌથી ભયજનક પ્રકારનો અને હિંસક ગુનો છે, જે તેને લાંબા ગાળામાં શારિરીક હાનિઓ જ નહીં, પરંતુ તેની વ્યક્તિગત અને સામાજિક સંબંધો સ્થાપિત કરવાની ક્ષમતા, તેનાં જીવન અને તેની આજીવિકાને પણ અસર કરે છે. દુષ્કર્મનો ભોગ બનેલ વ્યક્તિ માનસિક ત્રાસદીમાંથી પસાર થાય છે, જેનો ઉપચાર તેની સ્વાભિમાન પૂર્વકની અને અર્થપૂર્વકના જીવન માટે આવશ્યક છે. આવા કેસમાં રાજ્ય સરકાર દ્વારા દુષ્કર્મ પીડિત પરિવારને આર્થિક સહાય ચુકવવામાં આવતી હોય છે, ત્યારે રાજ્યના મહિલા અને બાળ આયોગ વિભાગ પણ આ મામલે આગળ આવ્યું છે જેને લઈ હવે સુરત અને ગાંધીનગરમાં દુષ્કર્મ પીડિય બાળકીઓના પરિવારને આર્થિક સહાય ચુકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રૂપિયા 4 થી 7 લાખ સુધીની ચુકવાશે સહાય
સુરત અને ગાંધીનગરમાં દુષ્કર્મ કેસ મામલે સરકારે પીડિત બાળકીઓના પરિવારને 4થી7 લાખ રૂપિયાની સહાય ચુકવવાનો નિર્ણય કર્યો છે. જેને લઈ ડિસ્ટ્રીક લીગલ સર્વિસ ઓથોરિટીને પણ કામગીરી સોંપી દેવામાં આવી છે.