કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા અને સમૃદ્ધ ખેતી માટે અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. તેમાંની એક ખેડૂત પેન્શન યોજના અંગેની તમામ માહિતી અહીં મળશે.
ખેડૂતો માટે સરકારની કિસાન પેન્શન યોજના
આ યોજના થકી મળશે દર મહિને 3000 રૂપિયા પેન્શન
આ યોજનાનો લાભ કેવી રીતે અને ક્યાંથી મળશે તે અંગે જાણો
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, પાક ધિરાણ યોજના અને સિંચાઈની યોજનાઓ જેવી અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. તો ગુજરાત સરકાર દ્વારા iKhedut વેબસાઇટ મારફતે ઓનલાઈન ફોમ ભરીને ખેડૂતો કેટલીક યોજનાઓના લાભ લઇ શકે છે. ત્યારે ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી પેન્શન મળે તે માટે ભારત સરકારનાશ્રમ અને રોજગાર મંત્રાલય અને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા 'પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના' લોન્ચ કરાઈ છે. તો કેવી રીતે અને કેટલું પેન્શન મળશે તે અંગેની તમામ માહિતી તમને અહીં આપવાનો અમે પ્રયાસ કરીશું.
પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના(PMKMY)
PM કિસાન માનધન યોજનાનો લાભ નાના અને સીમાંત ખેડૂતોને આપવામાં આવે છે. જેમાં ખેડૂત વૃદ્ધ થયા બાદ પણ પોતાનું ગુજરાન ચલાવવા માટે સારુ જીવન જીવી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પેન્શન આપવામાં આવે છે. પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના 2021ની શરૂઆત 21 મે 2019ના રોજ કરવામાં આવી હતી. આ યોજના દ્વારા 60 વર્ષ પછી ખેડૂતોને દર મહિને રૂ.3000 પેન્શન આપવામાં આવશે. તો આ પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાને કિસાન પેન્શન યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે.
કોણ મેળવી શકશે આ યોજનાનો લાભ?
ખેડૂતની ઉંમર 18થી 40 વર્ષ હોવી જોઈએ
ખેડૂત પાસે 2 હેક્ટર કરતા ઓછી જમીન હોય તો લાભ મળશે
યોજના હેઠળ લાભાર્થીનું મૃત્યુ થાય તો તેમના પતિ/પત્નીને દર મહિને રૂ.1500 પેન્શન મળશે
The scheme has an outlay of Rs 10,774 Crores for the next three years. All the small and marginal farmers who are currently between the ages of 18 to 40 years can apply for the scheme. pic.twitter.com/P3QL9YN2rj
માહિતી સ્ત્રોત:- Press Information Bureau (PIB) Government of India Twitter Handle
કોને ન મળી શકે આ યોજનાનો લાભ?
કોઈપણ સામાજિક સુરક્ષા યોજના જેવી કે રાષ્ટ્રીય પેન્શન યોજના(NPS), કર્મચારી રાજ્ય વીમા નિગમ યોજના, કર્મચારી કોષ સંગઠન યોજનામાંથી પેન્શન મેળવતો ન હોવો જોઈએ અથવા આવી સંસ્થાઓના સભ્ય ન હોવા જોઈએ.
પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના કે પ્રધાનમંત્રી વ્યાપારી માનધન યોજના મેળવતા ખેડૂતોને આ યોજનામાં લાભ નહીં મળે.
ઉચ્ચ આર્થિક સ્થિતિ કે અન્ય શ્રેણીઓ ધરાવતા લાભાર્થીઓને આ યોજના હેઠળ લાભ નહીં મળે.
તમામ પ્રકારની સંસ્થાગત જમીન ધરાવતા લાભાર્થીઓને આ યોજનાનો નહીં મળે લાભ
બંધારણીય હોદ્દાઓ ભૂતકાળ કે વર્તમાન ધરાવતા નાગરિકોને નહીં મળે લાભ
ભૂતપૂર્વ કે હાલના મંત્રીઓ, લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, વિધાન પરિષદ સભ્યો અને નગર નિગમો કે જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ અને વર્તમાન અધ્યક્ષને નહીં મળે લાભ
કેન્દ્ર સરકાર અને રાજ્યના સરકારના તમામ નિયમિત સરકારી કર્મચારીઓ(મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ/ ક્લાસ-4 ગણતરીમાં લેવાના નથી)
ભારતના એવા નાગરિકો કે જેમને ગયા નાણાંકીય વર્ષમાં આવકવેરો ભર્યો હોય, જેવા કે ડૉક્ટર, એન્જીનિયર, વકીલ, ચાર્ટર એકાઉન્ટર વગેરે
કિસાન માનધન યોજનાનો લાભ મેળવવા માટે કયા ડોક્યુમેન્ટ જરૂરી?
આધારકાર્ડ
ચૂંટણીકાર્ડ/પાનકાર્ડ/પાસપોર્ટ પૈકી કોઈપણ એક
ઉંમર અંગેનું પ્રમાણપત્ર
ખેતીની જમીન ધરાવતા હોય તો તેના પ્રમાણપત્ર
બેંક ખાતાની ઝેરોક્ષ
મોબાઈલ નંબર
ઈમેઈલ આઈડી
પાસપોર્ટ સાઈઝનો ફોટો
પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાનું પ્રીમિયમ
આ ખેડૂત પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે દર મહિને પ્રીમિયમ ભરવું જરૂરી
50 ટકા પ્રીમિયમ ખેડૂતને ભરવાનું રહેશે અને 50 ટકા પ્રીમિયમ સરકાર ભરે છે
કિસાન માનધન યોજનાનો લાભ લેવા માટે 18 વર્ષની ઉંમર ધરાવતા લાભાર્થીને દર મહિને રૂ. 55 ભરવાના રહેશે
40 વર્ષની ઉંમર ધરાવતા ખેડૂતોએ દર મહિને રૂ. 200 પ્રીમિયમ ભરવાનું રહેશે
આ યોજનાનો લાભ 60 વર્ષ પછી મળવાનો શરૂ થશે
આ યોજનાનો લાભ મેળવવા લાભાર્થી પાસે બેંક એકાઉન્ટ જોઈશે અને તે એકાઉન્ટ આધારકાર્ડ સાથે લિંક કરેલું હોવું જોઈશે.
કઇ ઉંમરના ખેડૂતે કેટલું પ્રીમિયમ ભરવાનું રહેશે?
ખેડૂતો પ્રીમિયમ બેંક ખાતામાંથી ભરી શકાશે. ઉંમર પ્રમાણે લાભાર્થીઓને પ્રીમિયમ ભરવાનું હોય છે. લાભાર્થીની ઉંમર પ્રમાણે કિસાન માનધન યોજના કેલ્ક્યુલેટરની માહિતી નીચેના ટેબલ દ્વારા જાણીશું. (ઉદાહરણઃ જો તમારી ઉંમર 18 વર્ષ હોય તો કુલ પ્રીમિયમ 110માંથી તમારે દર મહિને 55 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવાનું રહેશે, બાકીનું 55 રૂપિયા પ્રીમિયમ સરકાર ભરશે. બાદમાં 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 3000 રૂપિયાનું પેન્શન મળશે.)
યોજનામાં જોડાયા સમયે ઉંમર
નિવૃત્ત થયા સમયે ઉંમર
દર મહિને ખેડૂતે ચૂકવવાની પ્રીમિયમની રકમ
કેન્દ્ર સરકાર દ્વારા ચૂકવવાની પ્રીમિયમની રકમ
કુલ પ્રીમિયમની રકમ
(A)
(B)
(C)
(D)
(Total=C+D)
18
60
55
55
110
19
60
58
58
116
20
60
61
61
122
21
60
64
64
128
22
60
68
68
136
23
60
72
72
144
24
60
76
76
152
25
60
80
80
160
26
60
85
85
170
27
60
90
90
180
28
60
95
95
190
29
60
100
100
200
30
60
105
105
210
31
60
110
110
220
32
60
120
120
240
33
60
130
130
260
34
60
140
140
280
35
60
150
150
300
36
60
160
160
320
37
60
170
170
340
38
60
180
180
360
39
60
190
190
380
40
60
200
200
400
માહિતી સ્ત્રોત:- Government Official Website (https://maandhan.in/)
કઇ રીતે ખેડૂતો કરી શકશે અરજી? (ઓફલાઈન/ઓનલાઈન)
નાના અને સીમાંત ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ યોજનાની ઓનલાઈન અરજી કયાં કરવી તેની માહિતી માટે નીચે મુજબના સ્ટેપસ ભરવાના રહેશે.
જ્યાં ખેડૂતે ગ્રામ્ય કક્ષાના ઉદ્યોગસાહસિક(VLE)ને તમામ ડોક્યુમેન્ટ આપવાના રહેશે.
VLE દ્વારા એમના CSC Login દ્વારા લાભાર્થીની વ્યક્તિગત માહિતી, બેંકની માહિતી તથા અન્ય વિગતો ઓનલાઈન ભરવાની પ્રક્રિયા કરશે. ત્યારબાદ તે ઉંમર પ્રમાણે પ્રીમિયમની રકમ માટે રજીસ્ટેશન કરાવશે.
ઓટો ડેબિટ માટે રજીસ્ટેશન કરવામાં આવશે, જેમાં લાભાર્થીની સહી કરવામાં આવશે.
VLE દ્વારા લાભાર્થીના તમામ ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે.
ઓનલાઇન રજીસ્ટ્રેશનઃ
આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીઓ પોતે પણ રજીસ્ટ્રેશન કરી શકે છે. લાભાર્થી દ્વારા Online Registration કેવી રીતે કરવું તેની માહિતી નીચે મુજબ દ્વારા જાણીશું.
સૌપ્રથમ લાભાર્થીએ આ યોજનાની ઓફિશીયલ વેબસાઈટ https://maandhan.in/ વેબસાઈટ પર જવાનું રહેશે.
જેમાં ખેડૂતે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના(Pradhanmantri Kisan Maandhan Yojana) પર ક્લિક કરવાનું રહેશે.
જેમાં આ યોજના અંગેની સંપૂર્ણ માહિતી વાંચી લેવાની રહેશે.
ત્યારબાદ “Click Here to apply Now” પર ક્લિક કરવાનું રહેશે.
જેમાં બે ઓપ્શન ખૂલશેઃ 1. Self Enrollment અને 2. CSC VLE જેમાં નંબર-1 પર ક્લિક કરવાનું રહેશે.
ત્યારબાદ જે મોબાઈલ નંબર નોંધેલો હોય તે નંબર પર OTP આવે છે, તેને જનરેટ OTP પર ક્લિક કર્યા બાદ ભરવાનો રહેશે.
ત્યારબાદ Enrollment પર ક્લિક કરીને Pradhan Mantri Kisan Maandhan Yojana પર ક્લિક કરવાનું રહેશે.
કોઈ સમસ્યા આવે તો ખેડૂતો અહીં કરે સંપર્ક
કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય અને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા આ પોર્ટલ બનાવવામાં આવ્યું છે. આ વેબસાઈટને લઇને લાભાર્થી-ખેડૂતોને કોઈ તકલીફ પડે કે સમસ્યા આવે તો તેઓ હેલ્પલાઇન નંબર 1800-3000-3468 પર સંપર્ક કરી શકે છે. તો ઈ-મેઇલ આઈડી [email protected] પર સંપર્ક કરી શકે છે.