કેન્દ્ર સરકારે ટેક્સપેયર્સને મોટી રાહત આપી છે. ઈન્કમ ટેક્સ સાથે જોડાયેલા વિવાદને ઉકેલવા માટે શરુ કરવામાં આવેલી ‘વિવાદ સે વિશ્વાસ’ સ્કીમની છેલ્લી તારીખ એક વાર ફરી આગળ ધપાવવામાં આવી છે. હવે ટેક્સપેયર્સ 31 ડિસેમ્બર 2020થી વધારીને 31 માર્ચ 2021 સુધી ટેક્સ સાથે જોડાયેલા વિવાદ ઉકેલી શકાય છે. આ સ્કીમને લાવવાનો હેતુ લંબિત કરી વિવાદોનું સમાધાન કરવાનું છે. તમામ કોર્ટમાં પ્રત્યક્ષ કર સાથે જોડાયેલા 9.32 લાખ કરોડ રુપિયાના 4.83 લાખ કેસ પેન્ડિંગ છે. આ સ્કીમ હેઠળ કરદાતાઓને ફક્ત વિવાદિત ટેક્સ રકમની ચૂકવણી કરવાની રહેશે. તેમણે વ્યાજ અને દંડની રકમમાં સંપૂર્ણ છુટ આપવામાં આવશે.
31 માર્ચ 2021 સુધી ટેક્સ સાથે જોડાયેલા વિવાદ ઉકેલી શકાય છે
સ્કીમ હેઠળ કરદાતાઓને ફક્ત વિવાદિત ટેક્સ રકમની ચૂકવણી કરવાની રહેશે
તેમણે વ્યાજ અને દંડની રકમમાં સંપૂર્ણ છુટ આપવામાં આવશે.
સત્તાવાર નિવેદનમાં જણાવ્યાનુંસાર વિવાદથી વિશ્વાસ યોજના હેઠળ ટેક્સ સાથે જોડાયેલા મામલાને પહોંચી વળવા કરદાતાઓને આગ વધારે રાહત આપવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. સરકારે મંગળવારે કોઈ પણ વધારાની રકમ વગર સમયસીમા 31 ડિસેમ્બર 2020થી વધારીને 31 માર્ચ 2021 કરી દીધી છે. જો કે આ ચૂકવણી ફક્ત કરવામાં આવેલી જાહેરાતના સંદર્ભમાં કરવામાં આવી છે.
નાણા સચિવ અજય ભૂષણ પાંડેએ વિવાદથી વિશ્વાસ યોજના હેઠળ ટેક્સ નિકાલને લઈને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સમીક્ષા કરી હતી. આ પ્રસંગે સીબીડીટી ચેરમેન અને બોર્ડના અન્ય સભ્ય તથા પ્રધાન મુખ્ય કર આયુક્ત હાજર હતા. પાંડેએ કહ્યું કે આ યોજના કરદાતાઓને લાભ અને તેમની સુવિધા માટે છે. કેમ કે આના દ્વારા તાત્કાલિક વિવાદોનું સમાધાન થઈ શકશે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા સરકારે મેમાં નાણા વર્ષ 2019-20 માટે ભરવામાં આવનાર ITR ની તારીખ વધારીને 30 નવેમ્બર કરી હતી. આ ઉપરાંત આ યોજના હેઠળ તેને વધારી 31 ડિસેમ્બર 2020 કરી હતી.