કોરોના મહામારીના કારણે ટેક્સપેયર્સને રાહત આપવા માટે મોટી જાહેરાત કરવામાં આવી છે.
સરકારે ક્લેમની સમય મર્યાદા વધારી
સમય મર્યાદા 3 મહિનાથી વધારી દેવામાં આવી
2 કરોડથી ઓછીની સંપત્તિ પર મળશે લાભ
દેશભરમાં કોવિડ-19 મહામારીના કારણે ટેક્સ પેયર્સને થતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આવાસીય ઘરમાં કરવામાં આવેલા રોકાણ પર ટેક્સ કપાત માટે દાખલ કરવામાં આવતા ક્લેમની સમય મર્યાદા વધારી દીધી છે. રોકાણ કરવાની સમય મર્યાદા 30 જૂન, 2021થી વધારીને 30 સપ્ટેમ્હર સુધી કરી દેવામાં આવી છે. તેનાથી 1 એપ્રિલ અથવા ત્યારે બાદ ઘર ખરીદનાર લોકો ટેક્સ છુટ માટે ક્લેમ કરી શકે છે. આ જાણકારી નાણાકીય મંત્રાલયની તરફથી જાહેર કરવામાં આવી છે. ટેક્સ કપાત માટે આવાસીય ઘરમાં આ રોકાણ કરવાની સમય મર્યાદા 30 જૂન 2021ની જુની સમય મર્યાદા 3 મહિનાથી વધારી દેવામાં આવી છે.
નાણામંત્રાલે જણાવ્યું કે, 'ટેક્સ પેયર્સ દ્વારા કરવામાં આવેલા કેલ્મ જેવા કે- રોકાણ, થાપણ, ચુકવણી, સંપાદન, ખરીદી, નિર્માણ અથવા આ પ્રકારની અન્ય વસ્તુઓ માટે જે કલમ 54થી 54 જીબી હેઠળ આવે છે. તેમાં ટેક્સ કપાતમાં છૂટ આપવામાં આવે છે. તેમાં ક્લેમની છેલ્લી તારીખને હવે વધારીને 30 સપ્ટેમ્બર 2021 કરી દેવામાં આવી છે. '
સંપત્તિની ખરીદી કે નિર્માણ પર છૂટ
આવકવેરા અધિનિયમ 1962ની કલમ 54 અને કલન 54 જીબી હેઠળ જો તમે આવાસીય સંપત્તિની ખરીદી અથવા નિર્માણ માટે તેને ફરીથી રોકાણ કરો છો તે તમે આવાસીય સંપત્તિને વેચવા પર મૂડી વધારાના લાભથી ટેક્સ છુટ પ્રાપ્ત કરી શકો છો. આવકવેરા અધિનિયમ કલમ 54GB હેઠળ જો તમે પાત્ર કંરનીના ઈક્વિટી શેરની સદસ્યતા માટે રકમનું રોકાણ કરો છો તો આવાસીય સંપત્તિના હસ્તાંતરણથી ઉત્પન્ન થતા મૂડી વધારાના લાભથી છુટ આપવામાં આવે છે.
2 કરોડથી ઓછીની સંપત્તિ પર મળશે લાભ
કેન્દ્રીય બજેટ 2019ની ધારા 54 હેઠળ મૂડી વધારાની મર્યાદાને વધારવામાં આવી હતી. તેના હેઠળ હવે બે આવાસીય ઘરોના ખરીદ અથવા નિર્માણની પરવાનગી મળે છે. જોકે ટેક્સમાં છુટ ત્યારે જ મળશે જ્યારે સંપત્તિની કિંમત 2 કરોડ રૂપિયાથી ઓછી હોય. એક ટેક્સ પેયર અક જ વખત આ વિકલ્પનો પ્રયોગ કરી શકે છે. આ પહેલા ફક્ત એક ખરીદ અથવા નિર્માણની અનુમતિ હતી.