ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાયેલા સરકારી કર્મચારી હવે પાસપોર્ટ બનાવી શકશે નહીં. સરકારી આદેશ પ્રમાણે જો કોઇ કર્મચારીને ભ્રષ્ટાચારના આરોપમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અથવા તેમની વિરૂદ્ધ કેસને મંજૂરી આપવામાં આવી છે તો તે પાસપોર્ટ બનાવી શકશે નહીં.
કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય
ભ્રષ્ટાચારી કર્મચારી નહીં બનાવી શકે પાસપોર્ટ
કેન્દ્ર સરકારના તમામ વિભાગના સચિવોને આદેશ
કર્મચારી મંત્રાલયે વિદેશ મંત્રાલય અને સેન્ટ્રલ વિજિલન્સ કમિશને સાથે મળીને હાલના દિશાનિર્દેશોની સમીક્ષા બાદ આ નિર્ણય લીધો છે. કર્મચારી મંત્રાલય દ્વારા કેન્દ્ર સરકારના તમામ વિભાગોના સચિવોને જાહેર કરેલા આદેશ મુજબ આવા કર્મચારીઓને પાસપોર્ટ મંજૂરી માટે તકેદારી જરૂરી છે.
કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે
જો કોઇ અધિકારી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અથવા તેમની સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તો વિજિલન્સ કમિશન મંજૂરીને અટકાવી શકે છે.
સરકારી કર્મચારી નહીં બનાવી શકે પાસપોર્ટ
આ ઉપરાંત તમામ વિભાગોને તપાસવાનું કહેવામાં આવ્યું છે કે, શું તેમને ત્યાં કામ કરનારા બાબુઓને ભારતીય પાસપોર્ટ હાંસલ કરવા મામલે પાસપોર્ટ અધિનિયમન 1967ની કલમ 6(2)ની જોગવાઇ સાથે જોડવામાં આવ્યું છે કે, નહીં. આ ધારા સંબંધિત પ્રશાસને અરજી કરનારને પાસપોર્ટ આપવાથી ઇનકાર કરવાનો અધિકાર આપવામાં આવે છે જો ભારતથી બહાર તેની હાજરી કોઇ દેશની સાથે ભારતના મૈત્રીપૂર્ણ સંબંધોને પ્રભાવિત કરી શકે છે અથવા કેન્દ્ર સરકારને એવું લાગે કે અરજીકર્તાના પ્રવાસ દસ્તાવેજ જાહેર કરવા જનહિતમાં નથી.