કેન્દ્ર સરકાર દેશના કરોડો એકાઉન્ટ હોલ્ડર્સના ખાતામાં ટૂંક સમયમાં જ વ્યાજની રકમ મોકલી શકે છે. હકીકતે સરકારે સપ્ટેમ્બર ક્વાર્ટર માટે જનરલ પ્રોવિડન્ટ ફંડના નવા વ્યાજ દર જાહેર કર્યા છે. આ ક્વાર્ટર પણ જનરલ પીએફ ખાતાધારકોને 7.1 ટકાના દરથી વ્યાજનો ફાયદો મળશે. આ ક્વાર્ટરના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો.
વ્યાદદર પર મળે છે નફો
તમને જણાવી દઈએ કે આ પ્રોવિડન્ટ ફંડ પર પણ PPF અને PFની જેમ જ નફો મળે છે. મહત્વનું છે કે આ સતત છઠ્ઠા ક્વાર્ટરથી એટલે કે 18માં મહિનાથી છે. જ્યારે સરકારે જીપીએફના વ્યાજ દરોમાં ફેરફાર નથી કર્યો. આ પહેલા પણ જૂન ક્વાર્ટરમાં પણ સરકારે GPF પર 7.1 ટકા વ્યાજ આપવાનો નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે એપ્રિલ 2020માં કેન્દ્ર સરકારે GPFના વ્યાજ દર 7.9 ટકાથી ઘટાડીને 7.1 ટકા કરી દીધો હતો.