ભારતના દરેક નાગરિકો માટે આધાર કાર્ડ ખુબ જ આવશ્યક દસ્તાવેજ છે. જો તમે તમારા નિવાસસ્થાન થી દૂર વ્યવસાય કરવા, ભણવા કે નોકરી માટે જાઓ છો તો હવે સરળતાંથી આધાર કાર્ડમાં સરનામું બદલાવી શકો છો.
લાંબા સમયથી નિયમોમાં સરળતા લાવવા માટે કરાઈ હતી માંગણી
સરકારે અધિસુચના બહાર પાડી આપી જાણકારી
નિર્ણય બાદ કામકાજ માટે ઘરથી દૂર રહેતા લોકો સરળતાથી વર્તમાન સરનામું પણ ઉમેરી શકશે
બુધવારે એક રાજપત્રિત અધિસુચના બહાર પાડવામાં આવી
હવે પ્રવાસીઓ સ્વઘોષણાથી સરનામુ બદલાવી શકશે. સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ બેંક ખાતું ખોલાવવામાં સરળતાં લાવવાનો છે જેથી લોકોનો નાણાકીય સમાવેશ કરી શકાય. બુધવારે એક રાજપત્રિત અધિસુચના બહાર પાડવામાં આવી જેમાં લેવામાં આ નિર્ણયની માહિતી આપવામાં આવી છે. આ અધિસુચના મુજબ મની લોન્ડરિંગ રોકથામ અધિનિયમમાં સંશોધન કરીને ફેરબદલ કરવામાં આવ્યા છે.
કામકાજ, વ્યવસાય અથવા ભણવા માટે લોકો કરે છે સ્થળાંતર
ભારતમાં કામકાજ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાવાળા લોકોનું પ્રમાણ વધારે છે. ત્યારે સ્થળાંતર કરતી વખતે આધાર કાર્ડમાં સરનામું બદલાવવું એ ખુબ કઠીન પ્રક્રિયા હતી જેમાં હવે ફેરફાર લાવવામાં આવ્યો છે, પહેલાં કરતા વધુ સરળતા કરવામાં આવી છે. સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી કચેરીઓમાં ધક્કા ખાતાં લોકોને રાહત મળે તેવી સંભાવના છે
બેંક ખાતું ખોલાવવામાં સરળતા
ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી આધારકાર્ડમાં સરનામાં બદલવાના નિયમોમાં ફેરફાર કરીને તેને વધુ સરળ કરવાની માંગ ચાલતી હતી. હવેથી જે પ્રવાસીઓ હશે તે હંમેશા માટે એક મૂળ સરનામું અને એક સરનામું વર્તમાન માટે પણ રાખી શકશે. આ નિર્ણય બાદ હવે બેંક ખાતું ખોલાવવામાં પણ ખુબ સરળતાં આવશે, કોઈ પણ પ્રવાસી જે કામકાજ કરવા માટે પોતાના ઘરથી દૂર રહે છે તે લોકો વર્તમાન સરનામાં પરથી પણ ખાતું ખોલાવી શકશે.