ભારત સરકારે વૈજ્ઞાનિક પેનલની સહમતિ વગર જ ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા વેક્સીનના બે ડોઝની વચ્ચેનું અંતર વધારી દીધુ હતું.
કોરોના વેક્સિનના બે ડોઝ વચ્ચેના અંતરને લઈને નિર્ણય
પેલના એક સદસ્યએ કહ્યું આવો કોઈ ડેટા જ નથી
પેનલને ભલામણ ફક્ત 8-12 અઠવાડિયા માટે કરવામાં આવી હતી
દેશમાં કોરોના વાયરસના કેસ હાલ ખૂબ જ ઓછા આવી રહ્યા છે. એવામાં કોવિડ-19 વેક્સિનના બે ડોઝની વચ્ચે અંતરને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. આ વચ્ચે સરકારના સલાહકાર પેનલના ત્રણ સદસ્યોએ ન્યૂઝ એજન્સી રોયટરે જણાવ્યું કે ભારત સરકારે વૈજ્ઞાનિક પેનલની સહમતિ વગર ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા (કોવિશીલ્ડ) વેક્સિનના બે ડોઝની વચ્ચેના અંતરને બે ઘણુ વધારી દીધું છે.
NTAGI દ્વારા કરવામાં આવી હતી ગેપ વધારવાની ભલામણ
મે મહિનામાં કોરોના વાયરસના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા હતા અને ઘણા વેક્સિન સેન્ટરમાં ડોઝની અછત હતી. ત્યાર બાદ 13મે ના રોજ સ્વાસ્થ્ય મંત્રાલયે કોવિશીલ્ડના ડોઝની વચ્ચેનું અંતર 6-8 અઠવાડિયા વધારીને 12-16 અઠવાડિયા કરી દીધો. સરકારે તર્ક આપ્યું હતું કે કોવિશીલ્ડના બે ડોઝની વચ્ચે ગેપ વધારવાની ભલામણ રાષ્ટ્રીય ટેક્નોલોજી સલાહકાર સમૂહ રસીકરણ (NTAGI) દ્વારા કરવામાં આવી હતી. જે મુખ્ય રીતે બ્રિટનના રિયલ લાઈફ પુરાવાણોના આધાર પર હતો. હવે સરકારને સલાહ આપનાર 14 મુખ્ય સદસ્યોમાં ત્રણ સદસ્યોએ રોયટર્સને જણાવ્યું કે આ પ્રકારની કોઈ ભલામણને લઈને કોઈ ડેટા મળ્યો નથી.
પેલના એક સદસ્યએ કહ્યું આવો કોઈ ડેટા જ નથી
રાજ્ય દ્વારા સંચાલિત નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ એપિડેમિયોલોજીના પૂર્વ ડાયરેક્ટર એમડી ગુપ્તાએ કહ્યું કે NTAGના ડોઝની વચ્ચે ગેપને લઈને 8-12 અઠવાડિયા સુધી વધાવાનું સમર્થન કરવામાં આવી રહ્યું છે. આ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની સલાહ હતી. પરંતુ સમુહની પાસે 12 અઠવાડિયાથી વધારે અંતરના પ્રભાવોના સંબંધમાં કોઈ ડેટા નથી.
પેનલને ભલામણ ફક્ત 8-12 અઠવાડિયા માટે કરવામાં આવી હતી
તેમણે જણાવ્યું કે, "8 થી 12 અઠવાડિયા એવા છે જેનો આપણે સ્વીકાર કરીએ છીએ. 12થી 16 અઠવાડિયા જેને સરકાર લઈને આવી છે. જે સત્ય હોઈ શકે છે અથવા તો ન પણ હોઈ શકે. અમને તેના વિષે કોઈ જાણકારી નથી." NTAGના સહયોગી મૌથ્યુ વર્ગીસે કહ્યું કે પેનલને ભલામણ ફક્ત 8-12 અઠવાડિયા માટે કરવામાં આવી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાયરસ મહામારી પર NTAGના કાર્યકારી સમુહના પ્રમુખનો હવાલો આપતા કહ્યું કે ડોઝની વચ્ચે ગેપ વધારવાનો નિર્ણય વૈજ્ઞાનિક પ્રમાણો પર આધારિત હતો. મંત્રાલયે ટ્વીટર પર કહ્યું, 'NTAGના સદસ્યોની વચ્ચે કોઈ અસહમતિ જેવી વાત ન હતી.'
13મેના રોજ મંત્રાલયે નિવેદનમાં કહ્યું હતું કે તેણે એનટીએજીઆઈના કોવિડ વર્કિંગ ગ્રુપથી 12-16 અઠવાડિયાની ભલામણને સ્વીકાર કર્યો હતો. કારણ કે મુખ્ય રીતે સરકારી અધિકારીઓના એક સમુહે વેક્સિન પ્રસાશનની સાથે કામ કર્યુ હતું જેને એનઈજીવીસી કહેવામાં આવે છે. સરકારી સ્વાસ્થ્ય અધિકારીઓએ 15મેએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે વેક્સિનની અછતને દૂર કરવા માટે આ ગેપને નથી વધારવામાં આવ્યો. પરંતુ આ એક વૈજ્ઞાનિક નિર્ણય છે.
પારદર્શી રીતે લેવામાં આવ્યો નિર્ણય
ત્યાં જ કોવિડ વર્કિંગ ગ્રુપના સદસ્ય જેપી મુલિયાએ કહ્યું કે એનટીએજીઆઈની અંદર વેક્સિનના ડોઝના ગેપને વધારવા પર ચર્ચા થઈ હતી. પરંતુ 12થી 16 અઠવાડિયાની ભલામણ ન હતી કરવામાં આવી. ટિપ્પણીઓ પર પ્રતિક્રિયા આપતા એનટીએજીઆઈએ કહ્યું કે કોવિશીલ્ડ ડોઝની વચ્ચેનું અંતર વધારવાનો નિર્ણય પારદર્શી રીતે લાવામાં આવ્યો છે.