કોરોનાની બીજી લહેરમાં સાજા થયા બાદ ગંભીર દર્દીઓમાં બ્લેક ફંગસ એટલે કે મ્યુકોર્માઇકોસિસ થવાનું પ્રમાણ વધ્યું
મ્યુકોર્માઇકોસિસ થવાનું પ્રમાણ વધ્યું
સિવિલમાં છેલ્લા 8થી 10 દિવસમાં જ 125થી વધુ સર્જરી
માત્ર સરકારી હોસ્પિટલોમાં ઇન્જેક્શન આપી રહ્યા છે આક્ષેપ
ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના ચેરમેન જસુ પટેલે રાજ્ય સરકાર પર આક્ષેપ લગાવતા કહ્યું છે કે સરકાર મ્યુકોર્માઇકોસિસ માટે સાવારમાં ઉપયોગ લેવામાં આવતા એમફોટેરાસિન બિ ઈન્જેક્શન ખાનગી હોસ્પિટલો સુધી પહોંચવા દેતી નથી, જસુ પટેલે આક્ષેપમાં કહ્યું છે કે સરકારી અધિકારીઓ માત્ર સરકારી હોસ્પિટલોમાં જ ઈન્જેક્શન આપી રહ્યા છે. ખાનગી હોસ્પિટલમાં સારવારને નામે દર્દીઓને એડિમીટ કરી દેવામાં આવે છે પરંતું બે દિવસ બાદ હોસ્પિટલ ઈન્જેક્શન નથી તેવું જણાવવામાં આવે છે ત્યારે સરકાર મ્યુકર માઈકોસિસ સારવારમાં સરકાર ખાનગી હોસ્પિટલોને પણએમફોટેરાસિન બિ ઈન્જેક્શન પહોંચાડે તેવી માંગ કરી છે.
મ્યુકર માઈકોસિસ થવાનું પ્રમાણ વધ્યું
મહત્વનું છે કે કોરોનાની બીજી લહેરમાં સાજા થયા બાદ ગંભીર દર્દીઓમાં બ્લેક ફંગસ એટલે કેમ્યુકોર્માઇકોસિસ થવાનું પ્રમાણ વધી ગયુ છે. હાલ ગુજરાતમાં મુખ્ય ચાર મહાનગરોની સિવિલ હોસ્પિટલમાં જ મ્યુકોર્માઇકોસિસના 1100થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ 470થી વધુ કેસ છે અને રોજના 22થી25 દર્દીઓ પર સર્જરી કરવામાં આવી રહી છે.
સિવિલમાં છેલ્લા 8થી 10 દિવસમાં જ 125થી વધુ સર્જરી
રાજસ્થાન સરકારે તો આજે બ્લેક ફંગસ રોગને એપેડેમિક હેઠળ મહામારીમાં સામેલ કરી દીધો છે અને આ રોગની તમામ બાબતોને નોટિફાઈ કરવાનું જાહેર કર્યુ છે ત્યારે ગુજરાત રાજ્યમાં પણ મ્યુકોર્માઇકોસિસના દર્દીઓનું પ્રમાણ વધી રહ્યું છે, કોરોનાની બીજી લહેરમાં કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે પરંતું મ્યુકોર્માઇકોસિસના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ 400થી વધુ દર્દીઓ છે ત્યારે આજે 25 નવા દર્દીઓ નોંધાયા છે. વધુમાં ડેન્ટલ હોસ્પિટલમાં ૭૦થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને કોરોનાની 1200 બેડ હોસ્પિટલમાં પણ 25 થી 30 દર્દીઓ મ્યુકોર્માઇકોસિસના સારવાર હેઠળ છે. રોજના ૧૫થી૨૦ દર્દીઓને ડિસ્ચાર્જ પણ આપવામા આવે છે પરંતુ તેની સામે સતત નવા દર્દી પણ એડમિટ થયા હોય છે.
મ્યુકોર્માઇકોસિસ થવાનું પ્રમાણ વધ્યું
જ્યારે સિવિલ હોસ્પિટલમાં રોજની 22થી 25 સર્જરી થઈ રહી છે. જો કે રાજ્ય સરકાર દ્વારા અગાઉથી જ મ્યુમ્યુકોર્માઇકોસિસની ગંભીરતા સમજી તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે જોકે બીજી તરફ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા દર્દીઓ ઈન્જેક્શનની માંગ કરી રહ્યા છે. સરકાર મ્યુકોર્માઇકોસિસ માટે સાવારમાં ઉપયોગ લેવામાં આવતા એમફોટેરાસિન બિ ઈન્જેક્શન ખાનગી હોસ્પિટલો સુધી પહોંચવા દેતી નથી, જસુ પટેલે આક્ષેપમાં એવો કર્યો છે.